બુધ, શુક્ર અને મંગળ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ

Mercury Venus Mars Transit: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ, શુક્ર અને બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

ત્રણ ગ્રહોની ચાલમાં ફેરફાર

1/5
image

જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટે ગ્રહોના રાજકુમાર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે તો 25 ઓગસ્ટે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સાથે તમને જણાવી દઈએ કે 26 ઓગસ્ટે ગ્રહોના સેનાપતિ મંગળ દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તેવામાં 3 ગ્રહોના ગોચરનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેને આ સમયે ખુબ લાભ મળી શકે છે. આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે મંગળ, શુક્ર અને બુધ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને પ્રોપર્ટીમાં લેતી-દેતીથી લાભ થઈ શકે છે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ ફળયાદી રહેવાનો છે. ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરવામાં સફળતા મળશે. આ સમય રોકાણ માટે પણ ખુબ સારો છે. આ સમયમાં કરેલું રોકાણ તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. આ સમયમાં તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. તમે નાણાની બચત પણ કરી શકશો.  

મિથુન રાશિ

3/5
image

મંગળ, શુક્ર અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. સાથે આવકના નવા-નવા સ્ત્રોત બની શકે છે. તો બુધ અને શુક્રના સાથે હોવાથી આ રાશિના વેપારીઓ માટે સમય સારો રહેશે. બિઝનેસમાં તમારી બમણી પ્રગતિ થશે. સાથે તમને પિતા પાસેથી ધનલાભ થશે. નોકરી કરનાર જાતકોને નવી જોબ મળી શકે છે. આ સમયે વેપારીઓને નવા ઓર્ડર મળી શકે છે. જેનાથી સારો ધનલાભ થઈ શકે છે.   

સિંહ રાશિ

4/5
image

તમારા માટે મંગળ, શુક્ર અને બુધનું ગોચર લાભકારી રહેશે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. આ સમયમાં તમને પૈતૃક સંપત્તિથી લાભનો યોગ બનશે. તો નોકરી કરનાર જાતકો અને વેપારીઓને મહેનતનું વધુ ફળ મળશે. જે લોકો નોકરી બદલવા ઈચ્છે છે તેને આ સમયમાં લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા માન-સન્માનમાં વધારો જોવા મળશે. આ દરમિયાન તમારી કોઈ મનોરથ પૂર્ણ થઈ શકે છે. તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.