આ 4 રાશિના લોકોના જીવનમાં દુ:ખોનું વાવાઝોડું લાવશે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન

Rahu-Ketu Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ છાયા ગ્રહ છે. આ બે અશુભ ગ્રહો છે જેના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ-કેતુને એક ચક્ર પૂર્ણ કરવામાં દોઢ વર્ષ લાગે છે. 30 ઓક્ટોબરે આ બંને ગ્રહો મીન રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે 4 રાશિઓના જાતકોને મુશ્કેલીઓથી ભરેલો સમય જોવા પડશે.  

મેષ

1/4
image

રાહુ-કેતુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ લાવશે. માનસિક તણાવ વધી શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ તમને ઘેરી શકે છે. પત્ની સાથે વિવાદ પણ વધી શકે છે.

વૃષભ

2/4
image

રાહુ-કેતુનું ગોચર વૃષભ રાશિના લોકોને કષ્ટ આપશે. દરેક ડગલે તમારી સામે સમસ્યાઓ આવશે. આ સમય દરમિયાન ખર્ચાઓ બેકાબૂ બનશે અને ઘરમાં પણ અશાંતિ રહેશે.

કન્યા 

3/4
image

રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના લોકો માટે પરેશાનીઓથી ભરેલો સમય લાવશે. તમારો સંઘર્ષ વધશે અને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ તમને ઘેરી લેશે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ આવશે. સંબંધોમાં તકરાર થઈ શકે છે.

મીન

4/4
image

આ સમયગાળો મીન રાશિના લોકોને પણ પરેશાનીઓ ઘેરી લેશે. લોન ચુકવવી પણ તમારા માટે ભારે પડશે. સંતાનની ચિંતામાં વધશે. અણધાર્યા ખર્ચ થશે.