કાલ ભૈરવની પૂજા, ગંગામાં ડુબકી, બાબા વિશ્વનાથનો જલાભિષેક, શ્રમિકો સાથે ભોજન, જુઓ PM મોદીની તસવીરો

PM નરેન્દ્ર મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા કરી. આ અવસરે પીએમ મોદીએ કાશીના ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કર્યો. પીએમ મોદીએ શિવાજી અને રાજા સુહેલદેવથી લઈને હોલ્કરના મહારાણી અને મહારાજા રણજીત સિંહના યોગદાનને પણ યાદ કર્યું. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન બાદ સંબોધન પણ કર્યું. જેમાં તેમણે ત્રણ સંકલ્પ લેવા પણ જણાવ્યું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે મંદિરમાં આપણે ભગવાન પાસે અનેકવાર કઈને કઈ માંગીએ છીએ. મારા માટે જનતા ઈશ્વરનું રૂપ છે. હું તમારી પાસે માંગુ છું કે આપણા દેશ માટે ત્રણ સંકલ્પ કરો. પહેલો સ્વચ્છતા, બીજો સૃજન, અને ત્રીજો આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ. પીએમ મોદીએ કહ્યું કે માતા ગંગાની સફાઈ માટે ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ બંગાળ સુધી અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. હું આહ્વાન કરું છું કે પૂરી તાકાતથી સૃજન કરો, ઈનોવેટિવ રીતે ઈનોવેટ કરો. દરેક ભારતવાસી જ્યાં પણ છે જે પણ ક્ષેત્રમાં છે, દેશ માટે કઈક નવા પ્રયત્ન કરશે ત્યારે નવા માર્ગ બનશે. જ્યારે ભારત 100 વર્ષ આઝાદીના ઉજવશે ત્યારે ભારત કેવું હશે તેના માટે અત્યારથી પ્રયત્ન કરવાનો રહેશે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું છે. એવું ભારત બનાવવાનું રહેશે જેમાં આપણે વોકલ માટે લોકલ બનીએ. આ વિશ્વા સાથે હું બાબા વિશ્વનાથ અને તમામ દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ કરું છું. 

કાશી વિશ્વનાથ મંદિરમાં કરી આરતી

1/7

ભારતની પ્રાચિનતાનું પ્રતિક- પીએમ મોદી

2/7
image

પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશેપીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે. 

3/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા તો લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ પણ હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યુ હતું. 

ગંગામાં લગાવી ડૂબકી

4/7
image

પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળી ગયા. 

5/7
image

શ્રમિકો સાથે ભોજન

6/7
image

કાશીમાં કોરિડોરના લોકાર્પણ બાદ કોરિડોર બનાવનાર શ્રમિકો સાથે પ્રધાનમંત્રીએ ભોજન કર્યુ હતું. 

કાશીમાં સત્ય જ સંસ્કાર છે, પ્રેમ જ પરંપરા

7/7
image

પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે,  કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે,  કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે.