આ કોઈ રાજમહેલ નથી, સુરત એરપોર્ટ છે; હેરિટેજ લૂક અપાયો, જૂઓ હીરાની જેમ ચમકતા એરપોર્ટની અંદરની ઝલક

ચેતન પટેલ/સુરત: શહેર એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં દેખાય છે. જે હેરિટેજનું પ્રતિનિધિત્વ કરે છે.ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. આ એરપોર્ટ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353.25 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેક્ટમાં ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

1/9
image

હવે સુરત એરપોર્ટના મુસાફરો માટે 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ વિસ્તરણ પછી, એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરોને સેવા આપવા સક્ષમ છે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવી છે. જે કુલ 17046 ચોરસ મીટર છે.   

2/9
image

આવી સ્થિતિમાં, 17 ડિસેમ્બરથી વિસ્તૃત ભાગ શરૂ થયા પછી, ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર થઈ જશે. આનાથી દરરોજ વધારાના 1800 મુસાફરોને હેન્ડલિંગ કરવામાં સરળતા રહેશે. જ્યારે તે વાર્ષિક 26 લાખ મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. 

કોતરણીકામ જોવા મળશે

3/9
image

ઇન્ડિયન એરપોર્ટ એથોરીટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કર્યો છે. અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને ધ્યાને રાખી સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇન તૈયાર કરાઇ છે. જે વાત દિલ્હી એએઆઇના ઓફિસરથી જણાય છે. 

4/9
image

આ હેરિટેઝ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા રાંદેરમાં જૈન સમાજના લોકો રહેતા હતા. તે સમયે તેમણે પોતાની આર્થિક સમૃદ્ધિ દેખાડવા માટે મકાનના બહારના ભાગમાં કોતરણીકામ કરાવ્યું હતું. જો કે, આ કોતરણીકામમાં ઇસ્લામિક ધર્મની પણ થોડી છાપ મૂકાય છે. જેમાં તે સમયે થયેલી ઘટના અને કથા સહિતના ચિન્હો મૂકાયા છે.

1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને સરળતા

5/9
image

રાંદેરના દાંડીયા દેરાસરમાં પણ આ મકાન જેવી જ ડિઝાઇનો જોવા મળે છે. પહેલાના સમયમાં સુરતમાં આર્થિક સમૃદ્ધિ દેખાડવા સાથે પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટે ઘર પર ડિઝાઇન કરાવતા હતા. એટલું જ નહીં, એકની ડિઝાઇન બીજા કોપી નહીં કરતા હતા અને વધારે ખર્ચ કરીને અલગ ડિઝાઇન બનાવતા હતા. 

6/9
image

અહીં વાત એવી છે કે એએઆઇ રૂ. 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું હતું. 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને સરળતાથી આવી જશે. ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇનકાઉન્ટર, 5 એરો બ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે.

460થી પણ વધુ કાર પાર્કિંગ સુવિધા 

7/9
image

નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460થી પણ વધુ કાર પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. ટર્મિનલ 4-સ્ટાર GRIHA રેટેડ ઊર્જા ધરાવે છે. જેમાં ટકા સુવિધાઓ હશે. ટર્મિનલ બિલ્ડીંગની અંદર  ગુજરાતની પરંપરા અને કલા તેમજ સંસ્કૃતિને પ્રતિબિંબિત યાત્રીઓને દેખાશે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ પૂર્ણ થઈ ગયું છે. 

8/9
image

સુરત એરપોર્ટ દેશભરમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાયને સવલત પૂરી પાડેછે, કારણ કે તે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે. એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ આ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટીવધારશે, જેનાથી આ ક્ષેત્રના સર્વાંગી વિકાસને વેગ મળશે.

9/9
image