Lal Mirch ke Totke: જીવનમાં મોટામાં મોટી સમસ્યા થઈ જશે સમાપ્ત, અપનાવો લાલ મરચાના ચમત્કારી ઉપાય


Lal Mirch Ke Totke Upay: જો તમે તમારા લાઇફમાં કોઈ કરિયર, બિઝનેસ તથા નોકરી જેવી જટિલ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને લાલ કિતાબના કેટલાક એવા ચમત્કારી ઉપાય જણાવી રહ્યાં છીએ, જેને અપનાવીને તમે મોટામાં મોટી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. 


 

ખરાબ નજરથી બચવા માટે

1/7
image

જો તમને કે ઘરમાં કોઈ બાળકને વારંવાર નજર લાગી જાય છે તો 7 લાલ મરચાંને મુઠ્ઠીમાં લો અને 7 વખત સીધા ક્રમમાં અને 7 વખત ઉલટા ક્રમમાં માથા પરથી ઉતારો. ત્યારબાદ ચુલામાં આ મરચાં ફેંકી દો. આમ કરવાથી તમને રાહત મળશે અને ખરાબ નજર પણ દૂર થઈ જશે. 

 

વેપારમાં સફળતા માટે

2/7
image

જો તમારો ધંધો ધીમો ચાલી રહ્યો છે અને તમને વારંવાર નુકસાન થઈ રહ્યું છે, તો માટીના ત્રણ દીવાઓમાં પીળી સરસવ, તલ, આખું મીઠું, આખા ધાણા અને એક લાલ મરચું મૂકો. આ પછી તેને ઓફિસ અથવા દુકાનમાં રાખો. આમ કરવાથી ધંધામાં ઝડપથી નફો થવા લાગશે.

ઈન્ટરવ્યૂમાં સફળતા માટે

3/7
image

જો તમે કોઈ જોબના ઈન્ટરવ્યૂ આપવા કે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યાં છો તો દરવાજા પર 5 લાખ મરચા રાખી દો. ઘરથી નિકળવા સમયે તેના પર પગ મુકીને આગળ વધો. આમ કરવાથી તમે જે કાર્ય કરવા જઈ રહ્યાં છો, તેમાં જરૂર સફળતા મળશે. 

શત્રુઓ પર વિજય મેળવવા માટે

4/7
image

જો તમે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં શત્રુઓથી પરેશાન છો, તો મંગળવાર અથવા શનિવારે રાત્રે ઘરની બહાર જમીનમાં ખાડો બનાવીને તમારા માથા પર પાંચ લાલ સૂકા લાલ મરચાં મૂકીને તેને માટીથી ઢાંકી દો, અને ભગવાનના નામનો જાપ કરો.  ધ્યાનમાં રાખો, આ કર્યા પછી પાછું વળીને ન જોવું. આ ઉપાય કરવાથી દુશ્મનો આપોઆપ શાંત થઈ જશે અને તમને શત્રુઓ પર વિજય મળશે.

અટવાયેલા કાર્યોમાં સફળતા માટે

5/7
image

જો તમારૂ કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે તો 7 લાલ મરચા એક રૂમાલમાં બાંધીને રાખી લો. તેને દર સપ્તાહે બદલતા રહો. આ ઉપાયને ત્યાં સુધી કરો જ્યાં સુધી કાર્ય પૂરુ ન થાય. આ ઉપાય કરવાથી તમારૂ અધુરા કાર્ય જલદી પૂરા થશે.   

શત્રુને શાંત કરવા માટે

6/7
image

જો પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં જો શત્રુઓથી પરેશાન છો તો 7 લાલ મરચા લો અને તેને ઘરના એક એવા ખુણામાં ટાંગી દો, જ્યાં તેને કોઈ જોઈ શકે નહીં. લાલ મરચા તાજા હોવા જોઈએ. જેમ-જેમ લાલ મરચા સુકાતા જશે તેમ તેમ તમારા શત્રુ શાંત થઈ જશે. 

 

અટવાયેલા ધનની પ્રાપ્તિ માટે

7/7
image

જો તમારૂ ધન ઘણા સમયથી અટવાયેલું છે તો લાલ મિર્ચનો આ ઉપાય જરૂર અપનાવો. એક લાલ રૂમાલમાં તમે 7 લાલ મરચા બાંધી પોતાની પાસે રાખી લો. દર સપ્તાહે લાલ મરચા બદલતા રહો અને જ્યાં સુધી વિઘ્ન ન ટળી જાય, ત્યાં સુધી આ ટોટકાને અપનાવતા રહો. તેનાથી તમારા અટવાયેલા નાણા પરત મળી જશે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા અને વિવિધ જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)