Paper checking News

બાઉન્સર્સ વચ્ચે HSC પરીક્ષાનું ઉત્તરવહી અવલોકન શરૂ, વાલી-વિદ્યાર્થી ઉઠે એટલે ખુરશી સ
HSC માર્ચ 2020 વિજ્ઞાન પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી અવલોકન શરૂ કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સાઉથ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે. 19 જુલાઈ સુધી ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા ચાલશે. 7 જિલ્લાના 6500 જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે ફોર્મ ભર્યા છે. આ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીના વિદ્યાર્થીઓને અલગ અલગ દિવસે બોલાવવામાં આવ્યા છે. ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણની ચકાસણી કરી શકે છે. ટોટલમાં ભૂલ સુધરી શકે, કોઈ પ્રશ્ન ચકાસવાનું રહી ગયું હોય તો તે ચકાસી શકાય, ઉત્તરવહીમાં અંદર માર્ક આપ્યા હોય બહાર રહી ગયા હોય તો તે સુધારી શકાય છે. 
Jul 16,2020, 13:05 PM IST

Trending news