સુરતમાં વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત

હીરા નગરી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અમરોલીના ઉતરાણ વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. રત્નકલાકારે ફ્લેટ લોન પર લીધો હતો અને બે મહિનાના હપ્તા ભરી શક્યો નહોતો. જેથી બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી માટે ફ્લેટ બહાર મોટા અક્ષરોથી નોટિસ લખવામાં આવી હતી. જેના આઘાતમાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતો. જેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બેંક હપ્તા મોડા થવાનું પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. જ્યાં હીરા કંપનીમાંથી અગાઉ છુટા થયા બાદ અન્ય કંપનીમાં યુવકે ફરી કામ શરૂ કર્યું હતું.

Trending news