મને ક્રિઝની ચિંતા નથી, હું તો અડધી પીચ પર રમુ છું: CM રૂપાણી

અમદાવાદ (Ahmedabad)માં યોજાયેલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી.

Trending news