આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે સાંજે 6 વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે. વિધાનસભાના બજેટ સત્ર સંદર્ભે નવી યોજનાઓની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં રજૂ થનારા કાયદામાં સુધારા કરતા નવા વિધેયકો તથા રાજ્યમાં શરૂ થયેલા વરસાદ બાદ કૃષિ વાવેતર સહિતના મુદ્દાઓની ચર્ચા થશે. જુનાગઢ મનપા,ગાંધીનગર મનપાની વોર્ડ નંબર 3,પાંચ જીલ્લા પંચાયતની પાંચ બેઠકો, 54 તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોના ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના બોર્ડના સભ્યો હાજર રહેશે.

Trending news