ફિલ્મ '3 ઈડિયટ્સ'ના લાઈબ્રેરિયન અખિલ મિશ્રાનું 58 વર્ષની વયે નિધન, બહુમાળી ઈમારતથી નીચે પડ્યા

Akhil Mishra Death: અભિનેતા અખિલ મિશ્રાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. હૈદરાબાદમાં બાલ્કનીમાં કામ કરતી વખતે તેઓ ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા અને તેમનું મોત થયું છે.

ફિલ્મ '3 ઈડિયટ્સ'ના લાઈબ્રેરિયન અખિલ મિશ્રાનું 58 વર્ષની વયે નિધન, બહુમાળી ઈમારતથી નીચે પડ્યા

Akhil Mishra Death: આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સમાં ગ્રંથપાલ દુબેની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, અભિનેતાનું કામ દરમિયાન બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શૌકનું મોજું ફરી વળ્યું છે અને ચાહકો આ સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી.

અખિલ મિશ્રાનું બાલ્કનીમાંથી પડી જતાં મોત થયું હતું
ETimes ના એક અહેવાલ મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે તેમની પત્ની અને અભિનેત્રી સુદૈન બર્નર્ટ શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. સમાચાર સાંભળીને તે તરત જ પાછી આવી ગયા છે. અહેવાલ મુજબ, 58 વર્ષીય અભિનેતા તેમના રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે તે લપસી પડ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે, તેઓ ઉંચી બિલ્ડીંગ પરથી કામ કરતાં નીચે પડ્યા હોવાના પણ અહેવાલો છે. જોકે, મોતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

અખિલે ઘણા ટીવી શો અને ફિલ્મો કરી છે
અખિલે ટીવી પર ઘણા શો પણ કર્યા. તે ઉત્તરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, હાતિમ અને ઘણા વધુ જેવા લોકપ્રિય ટેલિવિઝન શોનો ભાગ હતા. અખિલ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમણે 'ડોન', 'ગાંધી', 'માય ફાધર', 'શિખર', 'કમલા કી મૌત', 'વેલ ડન અબ્બા' જેવી ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી.

અખિલે '3 ઇડિયટ્સ'માં લાઇબ્રેરિયન દુબેના તેના ટૂંકા પરંતુ યાદગાર ચિત્રણથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની અને અન્ય ઘણા લોકોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમણે લોકપ્રિય શો 'ઉતરન'માં ઉમેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની છાપ છોડી હતી.

 આ પ્રકારની ઇનકમ પર નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો ટેક્સ, સરકારની આ જાહેરાતથી લોકો ખુશ
રાતોરાત અમીર અમીર બની જશે આ રાશિના લોકો, મંગળનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન
Swapna Shastra: સપનામાં બંધ દરવાજો દેખાશે તો થશે ધનની હાનિ, જાણો આવા જ 10 સપનાનો મતલબ

 
અખિલે જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે કર્યા હતા લગ્ન 
અખિલે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે 30 સપ્ટેમ્બર, 2011ના રોજ પરંપરાગત વિધિથી સુઝૈન સાથે લગ્ન કર્યા હતા.  તેમની પત્ની સુઝેન કસૌટી ઝિંદગી કી, સાવધાન ઈન્ડિયા, એક હજારો મેં મેરી બેહના હૈ, ચક્રવર્તી અશોક સમ્રાટ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને પોરસ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news