લતા મંગેશકરને શ્વાસ લેવામાં સમસ્યા, હોસ્પિટલમાં કરાયા દાખલ

દિગ્ગજ બોલીવુડ સિંગર લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 

લતા મંગેશકરને શ્વાસ લેવામાં સમસ્યા, હોસ્પિટલમાં કરાયા દાખલ

મુંબઈઃ બોલીવુડના ગાયિકા લતા મંગેશકરની તબીયત ખરાબ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે.

પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેમની સ્થિતિ ગંભીર છે અને તે આઈસીયૂમાં છે. તેમને આજે બપોર બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 

શું હતી છેલ્લી સોશિયલ મીડિયા ગતિવિધિ
સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી ગતિવિધિની વાત કરીએ તો તેમણે ટ્વીટર પર પદ્મિની કોલ્હાપુરૂની ફિલ્મ પાનીપતમાં તેના રોલ માટે શુભકામના આપી હતી. મહત્વનું છે કે 28 સપ્ટેમ્બરે લતાજી 90 વર્ષના થઈ ગયા હતા. 

— Lata Mangeshkar (@mangeshkarlata) November 10, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news