Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી ક્યારે? જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

Ganesh Visarjan 2022 Date and Time: ભાદ્રપદ માહના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 09 સપ્ટેમ્બર 2022, ગુરૂવારે રાત્રે 09:02 મિનિટ પર શરૂ થશે. આગામી દિવસે 09 સપ્ટેમ્બર 2022 શુક્રવારે સાંજે 06:07 મિનિટ પર તેનું સમાપન થશે. 

Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી ક્યારે? જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

Ganesh Visarjan 2022 Date and Time: ભાદ્રપદ માહના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને દર વર્ષે ગણપતિ દર વર્ષે ધૂમધામથી ઘરે-ઘરે બિરાજમાન થાય છે. 10 દિવસ સુધી બાપ્પાની ઉપાસના કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2022 ના રોજ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2022 date) પર ગણેશજીનો જન્મોત્સવ ઉજવવામાંમ આવે છે. હવે ભાદ્રપદ માહના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને અનંત ચતુર્દશીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. 

આ વર્ષે અનંત ચતુર્દશી તિથિ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ છે. આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય કરવામાં આવે છે. શુભ મુહૂર્તમાં તેમની પ્રતિમાને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને કેમ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. 

ગણેશ વિસર્જન 2020 મુહૂર્ત
ભાદ્રપદ માહના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 09 સપ્ટેમ્બર 2022, ગુરૂવારે રાત્રે 09:02 મિનિટ પર શરૂ થશે. આગામી દિવસે 09 સપ્ટેમ્બર 2022 શુક્રવારે સાંજે 06:07 મિનિટ પર તેનું સમાપન થશે. 

ગણેશ વિસર્જન સવારનું મુહૂર્ત - સવારે 6.03 થી -10:44 સુધી
ગણેશ વિસર્જન બપોરનું મુહૂર્ત - બપોરે 12:18 થી 1:52 મિનિટ સુધી
ગણેશ વિસર્જન સાંજનું મુહૂર્ત - સાંજે 5.00 કલાકે - 6.31 સુધી

કેમ કરવામાં આવે છે ગણપતિ વિસર્જન? 
10 દિવસીય મહોત્સવનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન બાદ થાય છે. પરંપરા અનુસાર નદી, તળાવ અથવા ઘરમાં જ જળમાં વિસર્જિત કરે છે. પૌરાણિક કથા અનુસાર ગણપતિ જી મહર્ષિ વેદવ્યાસના કહેવા પર મહાભારતને સરળ ભાષામાં લેખન લખવા માટે રાખ્યા હતા. ગણપતિએ ગણેશ ચતુર્થીશી આ કાર્ય શરૂ કર્યું અને અટક્યા વિના 10 દિવસ સુધી લખતા રહ્યા. જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. વ્યાસજીએ ગણેશજીને જળમાં ડૂબકી લગાવડાવી. આ પ્રકારે તેમના શરીરને શીતળ કર્યું. માન્યતા અનુસાર ત્યારથી જ અનંત ચતુર્દશી પર ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news