Omicron: ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિએન્ટ, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ

કોરોનાના નવા વેરિએન્ટ Omicron ની દહેશત દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં Omicron ના 7 નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે. 

Omicron: ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિએન્ટ, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ

નવી દિલ્હી: કોરોનાના નવા વેરિએન્ટ Omicron ની દહેશત દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં Omicron ના 7 નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં 2 અને ગુજરાતમાં એક અને દિલ્હીમાં ચાર નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં Omicron ના કેસની સંખ્યા 45 પર પહોંચી ગઈ છે. 

કયા રાજ્યોમાં મળી ચૂક્યા છે Omicron ના કેસ?
અત્રે જણાવવાનું કે સોમવારે મહારાષ્ટ્રના લાતૂર અને પુણેમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો. ગુજરાતના સૂરતમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યો. સમગ્ર ભારતમાં ઓમિક્રોનની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, કેરળમાં એક, આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં બીજા નવા 4 નોંધાતા કુલ 6 અને ચંડીગઢમાં એક કેસ છે. 

અહીં થયું ઓમિક્રોનથી પહેલું મોત
કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં Omicron ના 633 કેસ નોંધાયા છે. જેઓ સારવાર હેઠળ છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ સાજિદ ઝાવિદે કહ્યું કે Omicron બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં કોરોનાના નવા સંક્રમિત થયેલા લોકોમાં 40 ટકા ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. 

'બીચ પાર્ટી' પર રોક
નોંધનીય છે કે ઓમિક્રોનને લઈને ભારત પણ એકદમ સતર્ક છે. જેની ઝલક તમિલનાડુ સરકારના એક નિર્ણયમાં જોવા મળી. કોરોના સંક્રમણને કારણે તમિલનાડુ સરકારે નવા વર્ષે સમુદ્ર પર થતી 'બીચ પાર્ટી' પર રોક લગાવી છે. 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રોજ સમગ્ર તમિલનાડુમાં આ પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે તમિલનાડુમાં કોવિડ મહામારીના હાલાતની સમીક્ષા કરી. કોવિડ સંક્રમણ રોકવાના ઉપાયો હેઠળ 31 ડિસેમ્બર 2021 અને એક જાન્યુઆરી 2022ના રોજ તમિલનાડુના તમામ દરિયા કિનારા પર  લોકોના જવા પર સંપૂર્ણ રોક રહેશે. 

Active cases: 88,993
Total recoveries: 3,41,38,763
Death toll: 4,75,888

Total vaccination: 133.8 crore doses pic.twitter.com/jp8gvBI2UG

— ANI (@ANI) December 14, 2021

શુ છે દેશમાં કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 5,784 કેસ નોંધાયા છે. જ્યારે 7,995 લોકો રિકવર પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી 252 લોકોના મોત થયા છે. હાલ દેશમાં 88,993 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 3,41,38,763 લોકો રિકવર થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,75,888 થયો છે. કોરોનાને માત આપવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 133.8 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news