Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત

Bloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય. આવી સ્થિતિ હોય તો પેટની ગરમીને શાંત કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં નિયમિત રીતે એવી વસ્તુઓ ખાવી છે કુદરતી રીતે ઠંડક આપે. 

ફુદીનાના પાન 

1/5
image

ફુદીનાના પાનને સવારે ચાવીને ખાવાથી પેટની બળતરા શાંત થાય છે. લીમડાના પાનમાં મેન્થોલ ગુણ હોય છે જે પેટની ગરમી અને બળતરા ને ઘટાડે છે. એસીડીટી મટાડવા માટે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ. 

જાંબુના પાન 

2/5
image

જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે તેવી જ રીતે જાંબુના નાના અને કોમળ પાન પેટની સમસ્યાને દૂર કરે છે. પેટમાં જો બળતરા થતી હોય તો જાંબુના પાનને ચાવીને ખાવા જોઈએ. તેનાથી પેટની ગરમી શાંત થાય છે. 

તુલસીના પાન 

3/5
image

પેટની ગરમીને શાંત કરવા માટે તુલસીના પાન પણ ચાવીને ખાઈ શકાય છે. તુલસીના પાનમાં એવા ગુણ હોય છે જે પેટને ઠંડક આપે છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇનલેમેટ્રી ગુણ હોય છે. તેનાથી પેટની ગરમી તુરંત શાંત થાય છે. 

લીમડાના પાન 

4/5
image

લીમડાના પાનમાં પણ ઘણા બધા ગુણ હોય છે. સમસ્યા હોય તો રોજ સવારે લીમડાના બે પાન ચાવીને ખાઈ લેવા જોઈએ. ગરમીના દિવસોમાં લીમડાના પાન ચાવીને ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને શરીરને ઠંડક મળે છે.

5/5
image