ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ આ 5 વસ્તુઓ, ધન-સંપત્તિનો થશે છપ્પર ફાડ વરસાદ

દેવી લક્ષ્મીની કૃપા મેળવવા લોકો શું કરે છે? સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા ઉપાય છે જેને કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તમે ઘરના મંદિરમાં કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. ચાલો જાણીએ ક્યા માધ્યમથી આપણે ધન અને સમૃદ્ધિ મેળવી શકીએ?

1/5
image

શ્રી યંત્રઃ જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે તો તેના માટે તમે ઘરના મંદિરમાં 'શ્રી યંત્ર' રાખી શકો છો. તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શુક્રવારે ઈશાન ખૂણામાં લાલ રંગનું કપડું ફેલાવીને તમારા ઘરના મંદિરમાં રાખો.  

2/5
image

ગુલાબનું પરફ્યુમઃ જો તમે વ્યાપારમાં વૃદ્ધિ માટે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિની સામે ગુલાબનું અત્તર રાખો. આ સરળ ઉપાય અપનાવવાથી તમારો બિઝનેસ વધશે અને તમારું લગ્નજીવન પણ સમૃદ્ધ બનશે.  

3/5
image

કમળનું ફૂલઃ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના મંદિરમાં કમળનું ફૂલ રાખવું શુભ માનવામાં આવે છે. આ ફૂલ ધનની દેવીને ખૂબ પ્રિય છે. તેને રાખવાથી આવકના અનેક સ્ત્રોત ખુલે છે.    

4/5
image

દક્ષિણાવર્તી શંખઃ ઘણી વખત ખૂબ મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા મળતી નથી. જો તમે પણ આવી જ સમસ્યાથી પરેશાન છો તો સફળતા મેળવવા માટે તમારા ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખ રાખો. તેનો દેવી લક્ષ્મી સાથે વિશેષ સંબંધ છે અને જો તેને મંદિરમાં યોગ્ય સ્થાન મળે તો સફળતાના માર્ગો પણ ખુલી જાય છે.

5/5
image

ગાયનું ઘીઃ જો તમે લાંબા સમયથી દેવામાં ફસાયેલા છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો અથવા આર્થિક તંગીથી પરેશાન છો તો તેના ઉકેલ માટે તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે માતા લક્ષ્મીની મૂર્તિની સામે ગાયનું ઘી રાખો અને તેની સાથે દીવો કરો. આનાથી તમને ઘણો ફાયદો થશે.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.