આજે અમદાવાદના આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો ટ્રાફિક જામમાં ફસાશો

Ahmedabad Traffic Divert : અમદવાદ મનપાએ બનાવેલા કુંડમાં ગણેશ વિસર્જન કરીને બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ પર વિવિધ પોઈન્ટ્સ પર કુંડ બનાવવામાં આવ્યા છે. લોરો વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરી રહ્યાં છે. તેથી આજે ગણેશ વિસર્જન હોવાથી અમદાવાદમાં ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરાયા છે. કાલુપુરથી જમાલપુર સહિતના અનેક રસ્તા વાહનો માટે બંધ કરાયા છે.  આજે બપોરે એક વાગ્યાથી અનેક રસ્તાઓ બંધ થશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા આદેશ કરાયો. 
 

1/4
image

અમદાવાદ પોલીસ દ્વારા એક ટ્વીટમાં જણાવાયું કે, અમદાવાદ શહેરમાં આજે તા. ૨૮ | ૯ | ૨૦૨૩ ના રોજ શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પ્રોસેશન સિવાયના) બપોરે ૧૩:૦૦ વાગ્યાથી આ મુજબ પ્રતિબંધિત કરેલા માર્ગ/વિસ્તારના રસ્તા પર અવર-જવર કરી શકાશે નહી પરંતુ તેની સામે જણાવેલ વૈકલ્પિક રુટ પરથી અવર-જવર કરી શકાશ.  

2/4
image

3/4
image

4/4
image