કેમેરા સામે જ અતીક-અશરફની હત્યા, હત્યારાઓ પણ કેમેરામાં કેદ, જુઓ Photos

પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી. બંનેને મેડિકલ કોલેજ લઈ જવાઈ રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી. બંનેને મેડિકલ કોલેજ લઈ જવાઈ રહ્યા હતા. અહીં તેમના પર હુમલો થયો. એવું કહેવાય છે કે હુમલો કરનારાઓને પોલીસે પકડી લીધા છે. મળતી માહિતી મુજબ કેટલાક લોકો ત્યાં આવ્યા અને નારા લગાવ્યા. ત્યારબાદ ગોળી મારી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે. જેમનું નામ માન સિંહ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. 

1/7
image

કોલ્વિન હોસ્પિટલ પાસે જ્યારે આ હુમલો થયો ત્યારે પોલીસની ટીમ અતીક અને અશરફને મેડિકલ કરાવવા લઈ જઈ રહી હતી. આ દરમિાયન ત્રણ ચાર હુમલાખોરોએ અચાનક ત્યાં પહોંચીને તાબડતોડ  ફાયરિંગ  શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલાને પોલીસ સામે અંજામ અપાયો. અનેક મીડિયા પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. ઘટના તેમના કેમેરામાં કેદ થઈ ગઈ. 

2/7
image

મળતી માહિતી મજુબ પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ કરાવવા પહોંચેલા અતીક અહેમદ અને અશરફ મીડિયા સાથે વાતચીત કરતા હતા અચાનક ત્યારે જ તેમના પર હુમલો થયો. ત્રણ યુવકોએ ફાયરિંગ કર્યું. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ થયું એવું જાણવા મળે છે. 

3/7
image

હુમલાખોરો પહેલેથી ઘાત લગાવીને બેઠા હતા. અતીક અહેમદના માથામાં ગોળી મારવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી માર્યા બાદ હુમલાખોરોએ પોલીસ સામે સરન્ડર કરી દીધુ. 

4/7
image

હુમલો થયો તે સમયે અતીક મીડિયાના સવાલોના જવાબ આપવા માટે આગળ વધ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમને લઈને અતીક ફક્ત એટલું જ કહી શક્યો કે 'મેઈન બાત યે હૈ કી ગુડ્ડુ મુસ્લિમ' અને હુમલાખોરે માફિયાના માથામાં ગોળી મારી. એટલું જ નહીં અન્ય બે સાથીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. 

5/7
image

ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે હાથ ઉઠાવીને સરન્ડર પણ કરી નાખ્યું. હુમલો કરનારાના નામ લવલેશ તિવારી, સન્ની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે. 

6/7
image

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું કે યુપીમાં અપરાધની પરાકાષ્ઠા થઈ ગઈ છે અને અપરાધીઓનો જુસ્સો બુલંદ છે. જ્યારે પોલીસના સુરક્ષા ઘેરા વચ્ચે જાહેરમાં ફાયરિંગ કરીને કોઈની હત્યા થઈ શકે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું. આનાથી જનતા વચ્ચે ભયનું વાતાવરણ બની રહ્યું છે. એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ બનાવી રહ્યા છે. 

7/7
image

અશરફ અને અતીક અહેમદની હત્યા બાદ પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પથ્થરબાજી શરૂ થઈ ગયાના અહેવાલો છે.