આ ગામના ખેડૂતે હીરા-સોના-ચાંદી નહીં પરંતુ આ કામ માટે ખેતરમાં લગાવ્યા CCTV

સામાન્ય રીતે લોકો પોતાની સુરક્ષા અને સલામતી માટે ઓફિસ, દુકાન, મકાન અને ફેક્ટરીમાં CCTV કેમેરા લગાવતા હોય છે, પરંતુ રાજ્યના બનાસકાંઠાના નાનકડા ગામના એક ખેડૂતો પોતાના ખેતરમાં દાડમના ઊભા પાકની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવ્યા છે. 

અલકેશ રાવ/ બનાસકાંઠાઃ સીસીટીવી કેમેરાની તસવીરો જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે તો કોઈ દુકાન કે કંપનીની સુરક્ષા માટે નથી લગાવાયા. આ કેમેરા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના તાલુકા થરાદના એક નાનકડા ગામ ભોરડૂના ખેડૂતે પોતાના ખેતરમાં લગાવ્યા છે. ભોરડૂ ગામના ખેડૂત આંબાભાઈ અનેતેમના ભત્રીજા જીવરાજે પોતાના 12 એકર જમીનમાં ફેલાયેલા ખેતરોની સુરક્ષા માટે આ કેમેરા ફીટ કરાવ્યા છે. તેઓ અહીં દાડમની ખેતી કરે છે. તેમનું ખેતર હાઈવેની નજીક હોવાને કારણે ખેતરમાંથી અવાર-નવાર ઓજારો અને ખેતીના અન્ય કિંમતી સામાનની ચોરી થઈ જતી હતી.

દાડમની ખેતી કરે છે

1/4
image

ખેતરમાં જ્યારે લાલ-લાલ દાડમ ઉગાવ લાગ્યા તો હાઈવે પરથી પસાર થતા લોકો પોતાની લાલચ રોકી શક્યા નહીં અને દાડમની પણ ચોરી કરવા લાગ્યા. જોકે, થરાદ એવો વિસ્તાર ચે જ્યાં દાડમની ખેતી શક્ય નથી, પરંતુ આ કાકા-ભત્રીજાએ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ભારે જહેમત સાથે પોતાની 17 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં દાડમની ખેતી કરી છે. જેના કારણે તેમને ભરપૂર ફાયદો મળી રહ્યો છે. 

દર વર્ષે થાય છે લાખોની કમાણી

2/4
image

તેમણે જણાવ્યું કે, દાડમની ખેતી શરૂ કર્યા બાદ તેમને મોટો ફાયદો થઈ રહ્યો છે. તેઓ દર વર્ષે લગભગ 20થી 25 લાખ રૂપિયા દાડમની ખેતીમાંથી કમાઈ રહ્યા છે. જોકે, અવાર-નવાર થતી ચોરીની ઘટનાથી તેમની કમાણીમાં મોટો ફટકો પડવા લાગ્યો હતો. આથી, મોટું નુકસાન અટકાવવા માટે તેમણે ખેતરમાં CCTV  કેમેરા લગાવાનો નિર્ણય લીધો હતો. 

CCTV લાગતા બંધ થઈ ચોરીની ઘટનાઓઃઆંબાભાઈ

3/4
image

અગાઉ ખેતરમાંથી તૈયાર થયેલા દાડમની ચોરી અને કેટલાક ખેતિવાડીના અન્ય સામાનની પણ ચોરી થઈ જતી હતી. CCTV કેમેરા લગાવી દેવાયા બાદ ચોરીની આ ઘટનાઓ બંધ થઈ ગઈ છે. 

આજુ-બાજુના ખેતરવાળાએ પણ લીધી પ્રેરણા

4/4
image

આંબાભાઈ દ્વારા ખેતરમાં CCTV લગાવી દેવાયા બાદ હવે કોઈ ચોર તેમના ખેતરમાં આવવાની હિંમત કરતો નથી. જેના કારણે આ તેમને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે. તેમને થયેલો ફાયદો જાણ્યા બાદ અનેક ખેડૂતો આંબાભાઈએ લગાવેલા CCTV કેમેરા જોવા આવે છે અને પોતાના ખેતરમાં પણ CCTV કેમેરા લગાવાનું વિચારી રહ્યા હોવાનું જણાવે છે.