Whatsapp અને સરકાર વચ્ચે થઈ તકરાર, જાણો સરકાર કરી શકે છે નિયમોમાં કેટલાંક ફેરફાર

નવી દિલ્લીઃ દેશમાં ખુબ જ મોટા પ્રમાણમાં લોકો ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે વ્હોટ્સએપની વિવાદિત પ્રાઈવસી પોલિસીના કારણે યુઝર્સ વ્હોટ્સએપથી નિરાશ પણ થયા છે અને કેટલાક યુઝર્સે વ્હોટ્સએપનો ત્યાગ પણ કરી દિધો. ભલે વ્હોટ્સએપ દાવો કરે છે કે તેમા મેસેજિસ એન્ક્રિપટેડ છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાવા જઈ રહી છે. આ કાયદો વિશે જાણકારી મેળવવી ખુબ જરૂરી છે.

જૂઠ અને અફવા ફેલાવવા વાળાને નહીં છોડવામાં આવે 

1/5
image

સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દેશમાં અફવા ફેલાવવા પર રોક લગાવવા માગે છે, એટલે જ ભારત સરકારે નવી યુક્તિ તૈયાર કરી છે. જેની મદદથી દેશમાં વ્હોટ્સએપના માધ્યમથી અફવા ફેલાવવા વાળાને આસાનીથી પકડી શકાશે.

Alpha-Numeric Hash Assigning Systemનો થશે ઉપયોગ 

2/5
image

મળેલી માહિતી અનુસાર ભારત સરકારે વ્હોટ્સએપથી Alpha-Numeric Hash Assigning System લાગુ કરવાનું કહ્યું છે. આ સિસ્ટમ લાગુ થયા પછી અફવા ફેલાવનારને આસાની પકડી શકાશે.

કેવી રીતે પકડાશે અફવા ફેલાવનાર? 

3/5
image

Alpha-Numeric Hash Assigning System અંતર્ગત વ્હોટ્સએપના દરેક મેસેજની સાથે એક ખાસ નંબર જનરેટ થશે. આ સિસ્ટમથી મેસેજ સેન્ડ કરનારને સરળતાથી ટ્રેક કરી શકાશે.

 

WhatsApp ની હાલની પ્રાઈવસી પોલિસી પર કોઈ અસર નહીં પડે

4/5
image

વ્હોટ્સએપ હાલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જેથી કરીને મેસેજ ખાલી સેન્ડર અને રિસીવરની વચ્ચે જ રહેતો હોય છે. પરંતુ સરકારનું કહેવું છે કે નવી સિસ્ટમથી વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસીને કોઈ અસર નહીં પહોંચે.

WhatsApp અને સરકાર વચ્ચે તકરાર 

5/5
image

કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવને વ્હોટ્સએપ માનવા તૈયાર નથી, પરંતુ સરકારનું કહેવું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.