ઘર કે ઓફિસમાંથી હંમેશા માટે ગાયબ થઈ જશે ગરોળી, અપનાવો ગરોળી ભગાડવાના આ 7 ઉપાય

Tips to Get Rid of Lizard : ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ છતાં તેનાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં એકવાર આ ઉપાયો અજમાવી જુઓ..

ડુંગળી, લસણ અને કાળા મરીનો ઉપયોગ કરીને આ રીતે ઘરમાંથી ભગાડો ગરોળી! ફરી ક્યારેય નહીં ફરકે

1/8
image

શું તમે ગરોળીના ત્રાસને કારણે હેરાન પરેશાન છો? તો હવે તમે અપનાવી શકો છો આ 7 સુપર ઉપાયો....

ડુંગળીનો ઉપયોગ કરો-

2/8
image

તમે ગરોળીથી છુટકારો મેળવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના ટુકડા કરી લો અને તેને ઘરના ખૂણા અને અન્ય જગ્યાએ રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ભાગી જશે. 

લસણનો ઉપયોગ કરો

3/8
image

લસણની કળીને છોલીને તેને ઘર, બાથરૂમ, બાલ્કની અને જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ઘરથી ભાગી જશે.   

કાળી મરી રાખો

4/8
image

બ્લેક પેપર એટલે કે કાળી મરીનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કાળા મરીને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં દરેક જગ્યાએ સ્પ્રે કરો. 

નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો

5/8
image

ગરોળીને ઘરની બહાર ભગાડવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘરમાં અલગ-અલગ જગ્યાએ નેપ્થાલિન બોલ્સ રાખો. આનાથી પણ તમને ગરોળીથી ઝડપથી છુટકારો મળશે. 

ઈંડાના છિલકા રાખો

6/8
image

જો તમે ઈંડા ખાતા હોવ તો તમે ગરોળીને દૂર કરવા ઈંડાના છિલકાનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે ઈંડાના છીલકાને એવી જગ્યાએ રાખો જ્યાં ગરોળી હોય. આનાથી તમને ગરોળીથી છુટકારો મળશે.

ઘરમાં રાખો મોરનાં પીંછા

7/8
image

ગરોળીને ભગાડવા માટે તમે ઘરમાં મોરનાં પીંછાં લગાવી શકો છો. આ માટે તમે ઘરની દિવાલો પર ટેપ વડે મોરના પીંછા ચોંટાડો. સાથે જ જ્યાં ગરોળી વધુ દેખાતી હોય તે જગ્યાએ મોરના પીંછા રાખો.

ધૂપ કરો

8/8
image

ઘરના જે ખૂણામાં ગરોળી ભરાઈ રહેતી હોય જો ત્યાં કોઈ પણ પ્રકારનો ધૂપ કરવામાં આવે તો તેની આંખોમાં બળતરા થવાને કારણે પણ ગરોળી ત્યાંથી ભાગી જાય છે. આ એક ફાયદાકારક ઉપાય છે.