Jail Life: કેવું હોય છે જેલનું જીવન? કેવી હોય છે કેદીઓની દિનચર્યા? શું કેદીઓને Weekly Off મળે છે? જાણો કેદીઓને મળે છે કેટલો પગાર...

ફિલ્મોમાં તમે જેલના ઘણાં દ્રશ્યો જોયા હશે. તમને લાગતુ હશે કે વાસ્તવિક જીવનમાં પણ કેદીઓ જેલમાં આ જ રીતે રહેતા હશે. જોકે, સાચી હકીકત તેના કરતા ઘણી જુદી જ છે. ઈશ્વરને પ્રાર્થના કરજો કે જીવનમાં ક્યારેય જેલમાં ન જવું પડે, કારણકે, જેલમાં જીવન નર્ક સમાન બની જાય છે. જેલમાં સજા કાપી રહેલા કેદીઓની દિનચર્યા કેવી હોય છે તેના વિશે તમે જાણ્યું ક્યારેય?... સજા ભોગવી રહેલા જેલના કેદીઓની એવી હોય છે જિંદગી કે તેમને જીવનભર પોતાના ગુનાનો પસ્તાવો થાય છે.

વિરલ પટેલ, અમદાવાદઃ જેલના કેદીઓની જિંદગી કેવી હોય છે તેના વિશે આપણને ઘણીવાર સવાલ ઉભા થતા હોય છે. કેટલીક હિન્દી ફિલ્મોમાં જેલના કેદીઓ કઈ રીતે રહેતા હોય છે તે વધતા-ઓછા અંશે બતાવવામાં આવે છે. ફિલ્મકારો આવા દ્રશ્યો માટે પુસ્તકો કે પછી કોઈ જેલના પ્રશાસન પાસેથી માહિતી મેળવતા હોય છે. ફિલ્મોમાં આપણે જોઈએ છે કે કેદીઓ સફેદ રંગના કપડા પહેરેલા હોય છે જેમાં કાળા રંગના પટ્ટા હોય છે. જેલના કેદીઓ સુથારીકામ, લુહારીકામ કરતા હોય કેટલાક કેદીઓ ખાવાનું બનાવતા હોય...

ફિલ્મકારો પોતાની વાર્તાની જરૂરિયાત પ્રમાણે ઘણા બદલાવ કરતા હોય છે. ફિલ્મોમાં તમને એવું પણ જોવા મળે છે કે કેદીઓ સંગઠન બનાવતા હોય છે અને અંદર અંદર તેમની વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે તમને એવું લાગે કે વાસ્તવિકતામાં પણ જેલના કેદીઓ આવી જ રીતે રહેતા હશે. અહીં આપણે જાણીએ કે જેલના કેદીઓની દિનચર્યા કેવી હોય છે?... તેમને ખાવાનું શું મળતું હોય છે?, કેવા પ્રકારના કામ જેલના કેદીઓને કરવાના હોય છે?.. ભારતમાં જેલોના પણ જુદા જુદા પ્રકારની છે. દરેક રાજ્યમાં જુદી જુદી સંખ્યામાં જેલ આવેલી છે.

કેટલાં પ્રકારની જેલ હોય છે
ભારતમાં ફુલ 8 પ્રકારની જેલ વ્યવસ્થા હોય છે. સેન્ટ્રલ જેલ, ડિસ્ટ્રિક્ટ જેલ, સબ જેલ, ઓપન જેલ, સ્પેશિયલ જેલ,  મહિલા જેલ, બોરસ્ટલ અને અન્ય જેલ.. ભારતમાં દરેક રાજ્યમાં તાલુકા અને જિલ્લા જેલ હોય છે. આ બધી જેલને સબ જેલ, જિલ્લા જેલ અને સેન્ટ્રલ જેલ કહેવામાં આવે છે.
 

 

સેન્ટ્રલ જેલ

1/8
image

દેશના દરેક રાજ્યમાં સેન્ટ્રલ જેલ હોય છે. જે કેદીને લાંબી સજા અપાઈ હોય તેવા કેદીઓને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે છે. 2 વર્ષથી વધુની સજા ભોગવનારા કેદીઓને સેન્ટ્રલ જેલમાં રખાય છે. દિલ્લીમાં સૌથી વધારે 16 સેન્ટ્રલ જેલ છે,  મધ્ય પ્રદેશમાં 11 જેલ આવેલી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં 8 સેન્ટ્રલ જેલ છે. ગુજરાતમાં 4 સેન્ટ્રલ જેલ છે.

ડિસ્ટ્રિક્ટ જેલ

2/8
image

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટ્રલ જેલ નથી ત્યા ડિસ્ટ્રિક્ટ જેલો મુખ્ય ગણાય છે. ઉત્તર પ્રદેશમાં 57, મધ્ય પ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 28, રાજસ્થાનમાં 24, આસામમાં 22, કર્ણાટકમાં 19 અને ગુજરાતમાં 11 ડિસ્ટ્રીક્ટ જેલ આવેલી છે.

ઓપન જેલ

3/8
image

આ જેલ એવી છે જેમાં સૌથી ઓછું સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રખાય છે. જે કેદીઓનું તેમની સજા દરમિયાન વર્તન સુમેળભર્યુ રહ્યુ હોય અને જેમને જેલના નિયમો સંપૂર્ણ રીતે પાળ્યા હોય તે લોકો ઓપન જેલમાં રહેતા હોય છે.ઓપન જેલના કેદીઓને ખેતીવાડી સહિતના કાર્યોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. ભારતમાં કેરળમાં 28 ઓગસ્ટ 1962માં સૌથી પહેલી ઓપન જેલ શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સૌથી વધુ 29 ઓપન જેલ છે. ભારતના 17 રાજ્યોમાં ઓપન જેલ કાર્યરત છે.

 

મહિલા જેલ

4/8
image

આ જેલમાં ફકત મહિલા કેદીઓને રાખવામાં આવે છે.ભારતમાં મહિલા જેલની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે મોટાભાગના કિસ્સાઓમાં અન્ય જેલમાં જ મહિલા કેદીઓને રાખવામાં આવે છે.મહારાષ્ટ્રમાં 5 તો કેરળ અને તમિલનાડુમાં 3 જેલ છે.  

સ્પેશિયલ જેલ

5/8
image

આ જેલમાં સુરક્ષા વ્યવસ્થાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રકારની જેલમાં ખાસ કેદીઓને રાખવામાં આવતા હોય છે. આતંકી પ્રવૃતિઓ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા, ખૂબ જ હિંસક અને જેલના નિયમોને તોડ્યા હોય તેવા કેદીઓને સ્પેશિયલ જેલમાં રાખવામાં આવે છે. કેરળમાં સૌથી વધારે 16 સ્પેશિયલ જેલ છે. તમિલનાડુ,પશ્ચિમ બંગાળ,ગુજરાત, કેરળ, આસામા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્પેશિયલ જેલમાં મહિલા કેદીઓ રખાય છે.

જેલના કેદીઓને મળે છે આ પ્રકારનો ખોરાક

6/8
image

ફિલ્મોમાં તમે જોયું હશે કે જેલના કેદીઓની થાળીમાં બે સૂકી રોટલી, થોડી સબ્જી અને એલ્યુમિનિયમના મગમાં પાણી હોય. આ તો ફિલ્મની વાત થઈ શું ખરેખર કેદીઓને તે જ રીતે ભોજન અપાય છે? ભારતમાં જેલોનું મેનેજમેન્ટ રાજ્ય સરકાર પાસે છે. NCRBના રેકોર્ડ પ્રમાણે રાજ્ય સરકાર પ્રતિ કેદી પાછળ 52.42 રૂપિયા ખર્ચે છે. સવારના નાસ્તા સાથે બે ટાઈમનું ખાવાનું આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડની સરકાર કેદીઓ પર સૌથી વધારે ખર્ચ કરે છે તો દિલ્લી, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની સરકાર કેદીઓ પર સૌથી ઓછો ખર્ચ કરે છે.હોમ મિનિસ્ટ્રીએ મોડલ પ્રીઝમ મેન્યુઅલમાં ગાઈડલાઈન છે કે પુરૂષ કેદીને 2,320 કેલેરી અને મહિલાઓને 1,900 કેલેરી રોજની મળવી જોઈએ. કેદીઓને જે ખાવાનું મળે છે તેની ગુણવત્તા તેટલી સારી હોતી નથી.  પાતળી દાળ, ચાર રોટલી અને થોડા ભાત તેમને મળે છે. કેદીઓને બહારથી ખાવવાનું મંગાવવું હોય તો ખાસ પરવાનગી લેવી પડે છે. જો કેદીને પરવાનગી મળે તો પણ તે મર્યાદિત ભોજન જ મંગાવી શકે છે. ઘણીવાર બપોરના ભોજનનું ખાવાનું ભોજન બચે છે તે ભોજન રાત્રે આપી દેવામાં આવે છે. રવિવારે કેદીઓને રાહત મળે છે. રવિવારના દિવસે કેદીઓને ભોજનમાં પનીરનું શાક, કઢી કે રાજમાં અપાતા હોય છે. તિહાડ જેલમાં બેકરી પણ ચાલે છે. આ બેકરીમાં બજાર કરતા પણ સારી વસ્તુઓ મળે છે. તિહાડ જેલમાં કેન્ટીન પણ છે જ્યાથી કેદી ખાવાનું ખરીદી શકે છે. કેદી તેના ઘરેથી દર મહિને 2 હજાર રૂપિયા મંગાવી શકે છે. કેદી જે કામ કરે છે તેના પણ તેને રૂપિયા મળે છે અને જેનો ઉપયોગ તે ખાવાનું ખરીદવા પણ કરી શકે છે. મતલબ કે દરેક જેલમાં જુદા જુદા પ્રકારનું ખાવાનું મળે છે. કોઈ જેલમાં ઘણુ સારું ભોજન મળે તો કોઈ જેલમાં બહુ ખરાબ ખાવાનું મળે. 

જેલના કેદીઓની દિનચર્યા

7/8
image

એકસમય એવો હતો જ્યારે જેલના કેદીઓ કુકડાની બાંગ સાંભળીને જાગતા હતા પરંતું હવે સમય બદલાયો છે. હા પણ જેલમાં કેદીઓને  સમય અને કામગીરીની જવાબદારી આપવા માટે ઘંટના નાદનો જ ઉપયોગ કરાયો છે. દર કલાકે જેલમાં વાગતો ઘંટ કેદીઓને તેમના કામની જવાબદારી યાદ કરાવે છે. દરેક કલાકે વાગતા ઘંટનો ઉદ્દેશ અલગ અલગ હોય છે. કેદીઓની દિનચર્યા નક્કી કરતો પહેલો ઘંટ સવારે 5 કલાકે વાગે છે. આ ઘંટ વાગવાનો ઉદ્દેશ છે કે કેદીઓને ઉઠીને પોતાની નિત્યક્રિયા પૂર્ણ કરવી અને ત્યારબાદ પ્રાર્થનાસભામાં ભેગા થઈ જવું. પ્રાર્થના પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના સોંપેલા કામ પર મોકલવામાં આવે છે. જેલમાં બીજો ધંટ સવારે 11 કલાકે વાગે છે. આ ઘંટ વાગવાનો અર્થ એવો થાય છે કે કેદીઓએ પોતાના કામસ્થળેથી ભોજન જ્યા પીરસાય છે તે સ્થળે પહોંચવાનું છે . ત્યારબાદ બપોરે 1 કલાકે ત્રીજો ઘંટ વાગે છે જેનો અર્થ થાય છે કે કેદીઓએ હવે તેમનું કામ ઝડપથી પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ સાંજે 5 કલાકે અંતિમ ઘંટ વાગે છે જેનો અર્થ થાય છે કે કેદીઓએ પોતાનું કામ છોડીને તેના બેરેક પાસે પહોંચી જવાનું છે. કેદીઓએ પોતાનું સાંજનું ભોજન ત્યાથી લેવાનું અને ત્યારબાદ તે ભોજનની થાળી લઈને બેરેકમાં પાછુ જતું રહેવાનું છે. દિવસના અંતે તમામ કેદીઓની ગણતરી કરવામાં આવતી હોય છે. સાંજે અંતિમ ઘંટ વાગે ત્યા સુધીમાં જેલ પ્રશાસનને જે કેદીઓને મુક્તિના આદેશ મળે તે કેદીઓને જ તે દિવસે મુક્ત કરવામાં આવે છે. જો અંતિમ ઘંટ વાગ્યા બાદ કોઈ કેદીને મુક્ત કરવાના આદેશ મળે તો તે કેદી બીજા દિવસે જ જેલની બહાર જઈ શકે છે.  

બોરસ્ટલ જેલ

8/8
image

બોરસ્ટલ જેલ એટલે 'બાળ સુધાર ગૃહ'... સગીર વયના ગુનેગારોને અહીં રાખવામાં આવતા હોય છે. બોરસ્ટલ જેલમાં સગીર ગુનેગારોને શિક્ષણની સાથે કેટલીક તાલીમ પણ આપવામાં આવતી હોય છે. સગીર ગુનેગારો માટે એવું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે કે તેઓ ફરીથી ગુનાખોરીની દુનિયામાં ન સંડોવાય. હિમાચલ પ્રદેશ,ઝારખંડ, કર્ણાટક, કેરળ,મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણામાં બોરસ્ટલ જેલ આવેલી છે.