6 દિવસ બાદ ગુરૂની ચાલમાં ફેરફાર, 3 રાશિના લોકોને નવી નોકરી સાથે મળશે અપાર ધન

દેવતાઓના ગુરૂ બૃહસ્પતિના ચંદ્રમાના નક્ષત્ર રોહિણીના બીજા પદમાં પ્રવેશ કરવાથી વૃષભ સહિત કેટલાક જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. 

ગુરૂનું નક્ષત્ર પરિવર્તન

1/5
image

દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. નોંધનીય છે કે ગુરૂને 12 રાશિઓનું ચક્ર પૂરુ કરવામાં 12 વર્ષનો સમય લાગે છે. તેવામાં દરેક રાશિના જાતકોના જીવનમાં તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. આ સાથે ગુરૂ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. નોંધનીય છે કે આ સમયે ગુરૂ રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે. તો 28 જૂન સવારે 2 કલાક 53 મિનિટ પર રોહિણી નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે. ગુરૂની સ્થિતિમાં ફેરફારની અસર કેટલાક જાતકોના જીવનમાં જોવા મળશે. આવો જાણીએ ગુરૂના પરિવર્તનથી કોને લાભ મળશે.

મિથુન રાશિ

2/5
image

ગુરૂ રોહિણી નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરી આ રાશિના લાભ ભાવમાં રહેશે. તેવામાં આ જાતકોને ખુબ લાભ મળવાનો છે. લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. આ સાથે કોઈ નવું કામ, બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. તેનાથી તમને ખુબ લાભ મળવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત થવાથી બચત પણ કરી શકશો. પરિવારની સાથે સમય પસાર થશે. સમાજમાં માન-સન્માન વધશે. જો રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. બેરોજગારોનો નોકરી મળી શકે છે. 

સિંહ રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે ગુરૂનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આ સાથે તમારા કામને જોતા તમને પ્રમોશન કે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ઉચ્ચ અધિકારી તમારૂ સારૂ એપ્રેઝલ કરી શકે છે. જો તમે બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો કરી શકો છો. આ સાથે તમને લાભ મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. જે જાતક ઉચ્ચ શિક્ષણ લેવા વિદેશ જવા ઈચ્છો છો તો તેની સામે કોઈને કોઈ રસ્તો જરૂર ખુલશે. સમાજમાં માન-સન્માનની વૃદ્ધિ થશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.  

તુલા રાશિ

4/5
image

તુલા રાશિના જાતકો માટે ગુરૂનું રોહિણી નક્ષત્રના બીજા પદમાં જવું લાભકારી સાબિત થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આ સાથે તમારી લાંબા સમયથી અટવાયેલી ઈચ્છા પૂરી થઈ શકે છે. કરિયરને અને બિઝનેસમાં ખુબ લાભ મળવાનો છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી ધન કમાવામાં સફળ થશો. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. ગુરૂ અને પિતાના સહયોગથી દરેક કામમાં સફળતા મેળવી શકો છો. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.