Shukrawar Upay: શુક્રવારે કરી લો બસ આ 5 કામ, માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન

Shukrawar Upay: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે લોકો તેમને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા પાઠ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીની કૃપાથી જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ વધારવા માંગતા હોય તો શુક્રવારના દિવસે આ કામ કરી લેવા જોઈએ. 

1/5
image

શુક્રવારે ક્યારેય ઘરને ગંદુ ન રાખવું. સવારે ઊઠીને સૌથી પહેલા ઘરની સાફ-સફાઈ કરી અને સ્નાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી.

2/5
image

શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવો અને તેમને સફેદ મીઠાઈ ધરાવવી. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે.

3/5
image

શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું પણ શુભ ગણાય છે તમે ઈચ્છો તો આ દિવસે ગાયને લોટમાં ખાંડ ઉમેરીને પણ ખવડાવી શકો છો.

4/5
image

શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પૂજામાં માતા લક્ષ્મીના ચરણો પાસે કોડી રાખવી જોઈએ. આ દિવસે વ્રત પણ કરવું જોઈએ.

5/5
image

શુક્રવારે દક્ષિણા વર્તી શંખમાં જલ ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી. સાથે જ શુક્રવારે માતા લક્ષ્મીને લાલ ચાંદલો, સિંદૂર, લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ