Parliament Attack anniversary: આ બહાદુર મહિલાએ આતંકીઓની 11 ગોળી ઝેલી 200 નેતાઓના બચાવ્યા હતા જીવ

આ કહાની એવી બહાદૂર મહિલાની છે જેણે આતંકીઓ સામે બાથ ભીડીને સામી છાતીએ 11 ગોળી ખાઈ લોકતંત્રના મંદિરને વેરવિખેર થતું બચાવ્યું હતું.

નવી દિલ્હી: ભૂતકાળના પાના પલટીએ તો ઈતિહાસમાં ગૌરવ, સ્વાભિમાન અને નીડરતાની એવી એવી કહાનીઓ તમને જાણવા મળશે તે જે તમને હચમચાવી નાખશે અને સાથે સાથે પ્રેરિત પણ કરશે. આવી જ એક કહાની આજના દિવસ એટલે કે 13 ડિસેમ્બર સાથે જોડાયેલી છે. આ કહાની એવી બહાદૂર મહિલાની છે જેણે આતંકીઓ સામે બાથ ભીડીને સામી છાતીએ 11 ગોળી ખાઈ લોકતંત્રના મંદિરને વેરવિખેર થતું બચાવ્યું હતું. આ કહાની એવી નીડર મહિલાની છે જેને પહેલીવાર બહાદુરીનું કોઈ મોટું સન્માન મળ્યું હતું. આ કહાની કમલેશકુમારી યાદવની છે. 

આજના દિવસે થયો હતો સંસદ પર હુમલો

1/7
image

આજના દિવસે એટલે કે આજથી બરાબર 20 વર્ષ પહેલા ભારતના સંસદ ભવન પર એક જીવલેણ આતંકી હુમલો થયો હતો. જેણે દેશના અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ હુમલાનો ખૌફ દશની જનતાના હ્રદયમાં આજે પણ તાજો છે. તે સમયે દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને સંસદનું શિયાળુ સત્ર ચાલુ હતુ.   

સફેદ એમ્બેસેડર કારથી આવ્યા હતા આતંકીઓ

2/7
image

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓ એમ્બેસેડર કારમાં મંત્રાલય અને સંસદનું નકલી સ્ટિકર લગાવીને પરિસરમાં ઘૂસ્યા હતા. એકે 47 રાઈફલ, ગ્રેનેડ લોન્ચર, પિસ્તોલ અને હાથગોળા લઈને આતંકવાદીઓએ સંસદ પરિસરની ચારેબાજુ તૈનાત સુરક્ષા ઘેરાને તોડ્યો.  જેવી કાર તેઓ અંદર લઈ ગયા, સ્ટાફ સભ્યોમાંથી એક, કોન્સ્ટેબલ કમલેશ કુમારી યાદવને તેમની હરકત પર શક ગયો. 

કમલેશે દેખાડી બહાદુરી

3/7
image

કમલેશ પહેલી સુરક્ષા અધિકારી હતી જે આતંકવાદીઓની કાર સુધી પહોંચી અને કઈંક સંદિગ્ધ મહેસૂસ થતા તે ગેટ નંબર1ને સીલ કરવા માટે પોતાની પોસ્ટ પર પાછી જતી રહી. જ્યાં તે તૈનાત હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીને આ હરકત અંગે બૂમો પાડીને જણાવ્યું અને સુરક્ષા એલાર્મ દબાવી દીધુ. ત્યારબાદ સંસદના તમામ ગેટ બંધ કરી દેવાયા. 

11 ગોળીઓ છોડી

4/7
image

જેવી કમલેશે બૂમો પાડવાનું શરૂ કર્યું કે આતંકીઓએ પોતાના કવરને પ્રભાવી ઢબે ઉડાવીને કમલેશ પર 11 ગોળીઓ છોડી. આતંકવાદીઓ વચ્ચે એક આત્મઘાતી હુમલાવર પણ હતો જેની યોજનાને કમલેશે નિષ્ફળ બનાવી દીધી. પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. 

9 લોકો માર્યા ગયા

5/7
image

કમલેશના મોત બાદ આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરતા આગળ વધ્યા હતા. આતંકી કાર્યવાહી લગભગ 30 મિનિટ ચાલી હતી. જેમાં કુલ 9 લોકો માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા.  આ બધા વચ્ચે સુરક્ષાદળોએ તમામ પાંચ આતંકીઓને બિલ્ડિંગની બહાર જ મોતને ઘાટ ઉતાર્યા. 

અફઝલ ગુરુ-ગિલાનીની ધરપકડ

6/7
image

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે માત્ર 72 કલાકમાં આ મામલાનો પર્દાફાશ કર્યો અને આ સિલસિલામાં મોહમ્મદ અફઝલ ગુરુ, શૌકત હુસેન, અફસલ ગુરુ અને એસ.એ.આર ગિલાનીની ધરપકડ કરી., તેમાંથી બેને છોડી મૂકવામાં આવ્યા જ્યારે અફઝલ ગુરુને ફેબ્રુઆરી 2013માં દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી. 

અશોક ચર્ક મેળવનાર પહેલી મહિલા કોન્સ્ટેબલ

7/7
image

વીરગતિ પ્રાપ્ત કરનારી કમલેશ કુમારીને તેમની બહાદુરી માટે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય મહિલા કોન્સ્ટેબલ હતા. ભારતના ઈતિહાસમાં કમલેશ કુમારીની બહાદુરી સુવર્ણ અક્ષરે નોંધાયેલી છે.