Mangal-Shukra Yuti 2023: 30 મેથી મંગળ-શુક્રની યુતિ, અચાનક જાગી જશે આ પાંચ રાશિનું ઊંઘી ગયેલું ભાગ્ય

Mangal-Shukra Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગોચરનું વિશેષ મહત્વ છે. શુક્ર ગોચર 30 મેએ સાંજે 7.39 કલાકે થશે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. કર્ક રાશિમાં મંગળ પહેલાથી જ બિરાજમાન છે. કર્ક રાશિમાં મંગળ અને શુક્ર ગ્રહની યુતિ બનશે. મંગળ-શુક્રની યુતિનો ઘણી રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. જાણો મંગળ-શુક્રની યુતિ કઈ રાશિ માટે લાભકારી સાબિત થશે. 

મેષ રાશિ

1/5
image

મેષ રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ છે. પાર્ટનરનો ભરપૂર સહયોગ મળશે. 

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ સમાચાર લાવી શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને મહાલાભ થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ સમય લાભકારી રહેવાનો છે. સમાજમાં માન-સન્માન વધશે.   

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે બે ગ્રહોની યુતિ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યશૈલીમાં સુધાર થશે. 

આ પણ વાંચોઃ ષડાષ્ટક યોગઃ મંગળના ગોચરથી આ રાશિઓ માટે બની રહ્યો છે ખતરનાક યોગ!

કન્યા રાશિ

4/5
image

કન્યા રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ રહેવાની છે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. કુંવારા લોકોને લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. 

મકર રાશિ

5/5
image

મકર રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ સુખદ પરિણામ લઈને આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે નવી સિદ્ધિ હાસિલ કરશો. વેપારીઓના કારોબારમાં તેજી આવશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો)