ગ્રહોના રાજકુમાર બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોને મળશે છપ્પરફાડ લાભ, ભૌતિક સુખ-સુવિધામાં થશે વધારો

Bhadra Rajyog in Kundli: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. જેનાથી ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. ભદ્ર રાજયોગને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
 

ભદ્ર રાજયોગ

1/5
image

જ્યોતિષમાં પંચ મહાપુરૂષ રાજયોગનું વર્ણન મળે છે. જેમાં બુધ ગ્રહ ભદ્ર રાજયોગ બનાવે છે. સાથે શનિ દેવ શશ રાજયોગ બનાવે છે. આ રાજયોગોના પ્રભાવથી વ્યક્તિને ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહ પોતાની સ્વરાશિ કન્યામાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. જેનાથી ભદ્ર રાજયોગ બનવા જઈ રહ્યો છે. તેવામાં આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ કઈ છે.

મકર રાશિ

2/5
image

તમારા લોકો માટે ભદ્ર રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના નવમાં ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. આ સમયમાં તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તો તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. વ્યાવસાયિક મોર્ચા પર જુઓ તો તમને કોઈ મોટી ડીલ મળી શકે છે, જેનાથી ધનલાભ થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.

ધન રાશિ

3/5
image

ભદ્ર રાજયોગ બનવાથી ધન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે તે રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સાથે પારિવારિક જીવનની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સંતુષ્ટ અને ખુશ જોવા મળશો. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. આ સમયમાં જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. સાથે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.

કન્યા રાશિ

4/5
image

તમારા માટે ભદ્ર રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી કરિયરની દ્રષ્ટિએ જુઓ તો આ દરમિયાન તમારી પ્રગતિ થવાની સાથે પગાર વધારાનો યોગ છે. વેપારની દ્રષ્ટિએ સારૂ રિટર્ન મળી શકે છે. આ સમયે તમે લોકપ્રિય થશો. સાથે સમાજમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમે તમારા લક્ષ્યો પૂરા કરવામાં સફળ થશો. આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.