ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઉગાવ્યા સૌથી મોંઘા મશરૂમ  Cordyceps Militaris, એક કિલોની કિંમત છે દોઢ લાખ રૂપિયા!

ગુણકારી મશરૂમની ઘણી બધી પ્રજાતિ હોય છે. પરંતુ એમાંથી એક પ્રજાતિ એટલે Cordyceps Militaris. આ પ્રજાતિને દુનિયાના સૌથી મોંઘા મશરૂમ કહેવામાં આવે છે. 

નવી દિલ્લીઃ ગુણકારી મશરૂમની ઘણી બધી પ્રજાતિ હોય છે. પરંતુ એમાંથી એક પ્રજાતિ એટલે Cordyceps Militaris. આ પ્રજાતિને દુનિયાના સૌથી મોંઘા મશરૂમ કહેવામાં આવે છે. આ મશરૂમમાં ઘણાં બધા ગુણો છુપાયેલાં હોય છે. જે ગંભીર બીમારીઓ સામે પણ તમને રક્ષણ આપે છે. ગુજરાતના વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોંઘા કહેવાતા Cordyceps Militaris મશરૂમને ઉગાવવામાં સફળતા મેળવી લીધી છે. આ મશરૂમ એટલે ગુણોની ખાણ સમાન કહી શકાય. આ મશરૂમમાં એંટી ઓક્સિડેંટ, એંટી ડાયબિટિક અને એંટી વાયરલ તત્વો રહેલાં છે. આ ઉપરાંત કેન્સર, ઝેરી મલેરિયા, એચઆઈવી જેવી બીમારીઓમાં પણ આ મદદરૂપ થાય છે. આ મશરૂમ ખાવાથી હંમેશા તરોતાજા રહી શકાય છે અને ક્યારેય થાક નથી લાગતો.

1 કિલો મશરૂમની કિંમત છે દોઢ લાખ રૂપિયાઃ

1/5
image

ગુજરાતના વૈજ્ઞાનિકો જે મશરૂમ ઉડાવ્યા છે તે દુનિયાના સૌથી મોંઘી પ્રજાતિના મશરૂમ છે. તેની કિંમત છે એક કિલોના દોઢ લાખ રૂપિયા. 

90 દિવસોમાં લેબમાં ઉગાવ્યાં Cordyceps Militaris મશરૂમઃ

2/5
image

ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુજરાત ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજી (GUIDE) ના વૈજ્ઞાનિકોએ Cordyceps Militaris મશરૂમને 90 દિવસોમાં લેબના નિયંત્રિત વાતાવરણની અંદર ઉગાડ્યાં.  તેમણે 35 ઝારમાં આ મશરૂમને ઉગાડ્યા છે. જાણવા મળ્યું છેકે, મશરૂમની આ પ્રજાતિનો ઉપયોગ ચીન અને તિબેટની પ્રાકૃતિક દવાઓમાં લાંબા સમયથી થતો આવ્યો છે. 

આ મશરૂમને કહેવાય છે હિમાલયીન સોનાઃ

3/5
image

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલી એક ખબર મુજબ સંસ્થાનના ડાયરેક્ટર વી.વિજય કુમારે જણાવ્યુંકે, મશરૂમની Cordyceps Militaris ને હિમાલયીન સોનું કહેવામાં આવે છે. આનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા ઘણાં લાભ થાય છે. સાથે જ આ ઘણી બીમારીઓને રોકવામાં પણ કારગત નિવડે છે.

કેંસરના રોગમાં પણ આ મશરૂમ કરે છે મદદઃ

4/5
image

સંસ્થાન દ્વારા આ મશરૂમના એંટી ટ્યૂમરના પહેલું પર પણ અધ્યયન કર્યું છે. એટલેકે, આ મશરૂમ તમારા શરીરમાં ટ્યૂમરને થતાં રોકી શકે છે. અથવા જો ટ્યૂમર થઈ જાય તો તેના આકારને નાનું કરવામાં પણ મદદ કરે છે. કોવિડની મહામારીને પગલે આનું સંશોધન અટકી ગયું છે.

આ મશરૂમની ખેતી કરવાનું આપીશું શિક્ષણઃ

5/5
image

વૈજ્ઞાનિકોની યોજના છેકે, ભારતીય પરિસ્થિતિમાં આ મશરૂમને વધુમાં વધુ ઉગાડવા જોઈએ. મશરૂમની આ પ્રજાતિમાં કેંસર વિરોધી ગુણ પણ રહેલો છે. બ્રેસ્ટ કેંસરના ઈલાજમાં પણ આ મશરૂમનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા અન્ય લોકોને પણ આના ઉછેર અંગે નિશુક્લ શિક્ષણ આપવામાં આવશે. જણાવી દઈએકે, આ રિસર્ચ ટીમમાં નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર જિગના શાહ અને ગાઈડ વૈજ્ઞાનિક જી જયંતી પણ સામેલ છે.