Iron Kadhai: આ 4 શાકને લોખંડની કડાઈમાં ક્યારેય ન રાંધો, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને ખરાબ થશે

Iron Kadhai: ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને લોઢાના વાસણમાં બનાવવામાં આવે તો તે સ્વાદિષ્ટ બને છે પરંતુ તેની સાથે જ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને લોઢાના વાસણમાં બનાવવામાં આવે તો તે સ્વાદમાં પણ ખરાબ થઈ જાય છે અને ખાધા પછી સ્વાસ્થ્યને પણ ખરાબ કરે છે. આજે તમને એવી ચાર ખાદ્ય સામગ્રી વિશે જણાવીએ જેને લોઢાના વાસણમાં ક્યારેય પકાવવી નહીં.

ટમેટા 

1/6
image

ટમેટામાં વધારે માત્રામાં એસિડ હોય છે જો ટામેટાને લોઢાના વાસણમાં પકાવવામાં આવે તો તે લોઢા સાથે રિએક્ટ કરે છે અને તેના કારણે ભોજનમાં ધાતુનો સ્વાદ આવવા લાગે છે. 

દહીં 

2/6
image

દહીં કે અન્ય ડેરી પ્રોડક્ટને પણ લોઢાના વાસણમાં પકાવવા કે ગરમ કરવા નહીં. દહીંમાં કેલ્શિયમ વધારે હોય છે જે લોઢા સાથે રિએક્ટ કરી શકે છે અને રસોઈનો સ્વાદ બગાડી શકે છે.

લીંબુ 

3/6
image

લીંબુ જેવા ખાટા ફળને પણ લોઢાની કડાઈમાં ક્યારેય ઉમેરવા નહીં. લીંબુમાં પણ સિટ્રિક એસિડ હોય છે જે લોઢા સાથે રિએક્શન કરે છે જેના કારણે ભોજનમાં લોઢાનો સ્વાદ આવવા લાગે છે અને તેનો રંગ પણ ખરાબ થઈ જાય છે. 

પાલક 

4/6
image

પાલકને પણ ક્યારેય લોઢાના વાસણમાં પકાવી નહીં. પાલકમાં ઓક્સેલીક એસિડ હોય છે જે પણ લોઢા સાથે રિએક્ટ કરે છે તેના કારણે પાલકનો રંગ ખરાબ થઈ જશે અને તેનો સ્વાદ પણ ખૂબ જ ખરાબ થઈ જાય છે.

સ્વાસ્થ્ય માટે હાનિકારક

5/6
image

આ ચાર વસ્તુઓ લોઢાની કડાઈમાં પકાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે.

6/6
image