મહાશિવરાત્રી: ગુજરાતમાં અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ ખૂટતું નથી!

ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે. પરંતુ આ દેવીની વિશેષતા એ હોય છે શિવરાત્રીના દિવસે આ વિસ્તારમાં શિવ નહિ પણ શક્તિની પૂજા થતી હોય છે. 

1/4
image

નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિ.મીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે. 

2/4
image

સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ છે.   

3/4
image

મહા શિવરાત્રીએ દેવમોગરા ખાતે ખાસ આદિવાસી લોક મેળો યોજાય છે. જેમાં જિલ્લાના સ્થાનિક લોકો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પડોશી રાજ્યોના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી મેળાની મોજ માણે છે અહીં પાંડોરી માતા ના મેળા મા ગુજરાત સહીત અન્ય રાજયોમાંથી લાખો આદિવાસી શ્રઘ્ઘાળૂએા આવે છે અને બાઘા આખળી પુરી કરે છે. 

4/4
image

શક્તિની આરાધના સમો પાંડોરી માતા નો પાંચ દિવસનો હોય છે અહીં આદિવાસીઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીમાં નવું ઉગેલું અનાજ સહીત જે માન્યતા માની હોય તે ચીજ લાવે છે અને પરંપરાગત પૂજન અર્ચન કરે છે પ્રસાદ રૂપે મળેલ ધાન્ય ને અનાજ ના કોઠાર માં રાખવાથી બારે માસ અનાજ ખૂટતું નથી તેવી અહીંના આદિવાસીઓની માન્યતા છે.