Remal Cyclone: અરબ સાગરમાં પણ બધુ હેમખેમ નથી! ગુજરાત માટે ચેતવા જેવું, ગમે ત્યારે આવી શકે શક્તિશાળી વાવાઝોડું

Remal Cyclone: ચક્રવાતી તોફાન રેમલે પોતાની દિશા અને ગતિ બદલી નાખી છે. પરંતુ આ વર્ષનું પહેલું વાવાઝોડું હતું. બંગાળની ખાડીમાં બનેલું પહેલું સાઈક્લોન પણ. આમ તો સામાન્ય રીતે અરબ સાગરમાં વધુ વાવાઝોડા આવતા જોવા મળે છે. જ્યારે પહેલા બંગાળની ખાડીમાં આવતા હતા. આ તોફાન કેવી રીતે બને અને ક્યાંથી આવે છે? અરબ સાગરમાં વધતા વાવાઝોડાની સંખ્યાથી ગુજરાત માટે શું જોખમ વધી રહ્યું છે?

1/10
image

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાકિનારો મળેલો છે. જ્યાં અરબ સાગર છે. અરબ સાગર સામાન્ય રીતે બંગાળની ખાડીની સરખામણીમાં વધુ શાંત રહે છે.

આથી આમ જુઓ તો મોટાભાગે બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડા આવતા અત્યાર સુધી જોવા મળ્યા છે, અરબ સાગરમાં નહીં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડા આવવાનો દર, તીવ્રતા અને ભયાનકતા વધી રહ્યા છે.   

2/10
image

બંગાળની ખાડીની વાત કરીએ તો અરબ સાગરની સરખામણીમાં તે વધુ ગરમ રહે છે. બંગાળની ખાડીમાં વર્ષમાં બે મોટા ચક્રવાતી તોફાન આવવાની આશંકા રહે છે. જે સામાન્ય રીતે માર્ચથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવે છે.  

બીજી બાજુ અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગર પણ હવે ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમ થઈ રહ્યો છે. આથી ત્યાં પણ વાવાઝોડાની સંખ્યા વધી રહી છે. જેના કારણે અહીં પણ વધુ તીવ્રતાવાળા વાવાઝોડા ઉદભવી રહ્યા છે.   

3/10
image

છેલ્લા 40 વર્ષમાં દરેક ચોમાસા પહેલા બંગાળની ખાડી અને અરબ સાગરના તાપમાન લગભગ 1 થી 1.4 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે. આ વૈશ્વિક ગરમીના કારણે થઈ રહ્યું છે. આથી તોફાનોની સંખ્યા અને તીવ્રતા વધી રહ્યા છે.

બંગાળની ખાડીમાં આ અગાઉ આવેલા ખતરનાક વાવાઝોડામાં આસાની, અમ્ફાન, ફાની, નિવાર, બુલબુલ, તિતલી, યાસ અને સિતરંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે અરબ સાગરમાં તાઉતે, વાયુ, બિપરજોય, નિસર્ગ, અને મેકાનૂ આવ્યા હતા.   

4/10
image

બીબીસીના એક રિપોર્ટ મુજબ અરબ સાગરમાં વધતા તાપમાન હાલના વર્ષોમાં વાવાઝોડાની સંખ્યા, તેમની તીવ્રતા, અને તેમના કારણે પડતા ભારે વરસાદને કારણે થતું નુકસાન એક મોટી સમસ્યા બની રહ્યું છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં 40થી વધુ નાના મોટા બંદરોથી રોજના અબજો રૂપિયાનો માલ સામાન આયાત-નિકાસ થાય છે.

સમુદ્રી વાવાઝોડાની વધતી સંખ્યાથી ફક્ત આ વેપાર જ નહીં પરંતુ કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા અને જીવનને પણ જોખમ પહોંચે છે. ગયા વર્ષે આવેલા બિપરજોય તોફાને ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 

આટલા વાવાઝોડા કેમ

5/10
image

વાવાઝોડું  બનવા પાછળનું સીધુ કારણ સમુદ્રના તાપમાન સાથે છે. વધતા તાપમાન માટે જળવાયું પરિવર્તનને એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, યમન, અને ઓમાન જેવા દેશોમાં પણ પહેલા કરતા વધુ શક્તિશાળી તોફાન જોવા મળી રહ્યા છે. 

6/10
image

હવામાન વૈજ્ઞાનિકો  કહે છે કે કેટલાક તોફાન તો કાયદેસર ગરમીની સીઝનમાં સમુદ્રના ગરમ થયા બાદ આવે છે, પ્રી મોન્સુનની આજુબાજુ. પરંતુ કમોસમી તોફાનોનું કારણ રેપિડ ઈન્ટેસીફિકેશન હોય છે. એટલે કે પહેલા તોફાનની ગતિ ઓછી હોય છે જે 24 કલાકમાં વધીને ત્રણથી ચાર ગણી વધી જાય છે.

તમામ તોફાનોના બનવાનો સમય સમુદ્રી સપાટીનું તાપમાન દોઢથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ જાય છે. એક તો જમીની સપાટી ગરમ ઉપરથી સમુદ્રનું તાપમાન વધવાના કારણે સાઈક્લોન શક્તિશાળી બનતું જાય છે. 

7/10
image

IPCC ની પાંચમી એસેસમેન્ટ જોઈએ તો ખબર પડે કે ગ્રીન હાઉસ ગેસોથી નીકળનારી વધારાની ગરમીનો 93 ટકા ભાગ સમુદ્ર શોષી લે છે. 1970થી એવું સતત થઈ રહ્યું છે. તેનાથી સાગરોનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે.

સામાન્ય રીતે ચક્રવાતી તોફાન હંમેશા સાગરોના ગરમ ભાગની ઉપર જ બને છે. જ્યાં સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય છે.

આ ગરમીથી ઉર્જા લે છે અને સાગરોથી ભેજ ખેંચે છે. અરબ સાગર અને હિન્દ મહાસાગરનો પશ્ચિમી ભાગ છેલ્લી એક સદીથી સતત ગરમ થઈ રહ્યો છે. ગરમ થવાનો આ દર કોઈ પણ અન્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારથી વધુ છે.   

ગુજરાત માટે કેમ ચિંતા?

8/10
image

બીબીસીના અગાઉના એક રિપોર્ટમાં હવામાન સંસ્થાન પુણે ખાતે સમુદ્રના વધતા તાપમાન પર અભ્યાસ કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રોક્સી મેથ્યુને ટાંકીને કહેવાયું છે કે જળવાયુ પરિવર્તને છેલ્લા એક દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રીનો વધારો કર્યો છે. આ વાવાઝોડા ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.

પહેલા અરબ સાગરની સપાટી ઠંડી હતી. જેના કારણે સમુદ્રમાં ઓછા દબાણનું ક્ષેત્ર કે ઊંડા ખાડા બનતા હતા પરંતુ પશ્ચિમ મધ્ય અને ઉત્તરી અરબ સાગરની સપાટીનું તાપમાન ઓછું હોવાના કારણે તે તોફાનનું સ્વરૂપ લઈ શકતા નહતા. સમુદ્રની સપાટીના ઉચ્ચ તાપમાનના કારણે તોફાન બનવાની સાથે સાથે તેની તીવ્રતા પણ વધુ હોય છે. 

9/10
image

રિપોર્ટ મુજબ રાજ્યમાં સામાન્ય રીતે મે જૂનના મહિનાઓ દરમિયાન ચોમાસા સમયે તથા ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનના અંતમાં વાવાઝોડા આવતા હોય છે. ગુજરાતમાં હાલના વર્ષોમાં તોફાનોની સંખ્યા વધવા પર ડો. કોલે કહ્યું હતું કે તોફાન સમુદ્રમાં બને છે. તેના ઉપરના વાતાવરણમાં હવા તોફાનની દિશા નિર્ધારિત કરે છે.

તોફાનનો રસ્તો સમુદ્રમાં તેના ઉત્પતિ સ્થાન અને તેના ઉપરના વાતાવરણમાં હવાની દિશાથી નિર્ધારિત થાય છે. સામાન્ય રીતે આ દરમિયાન અરબ સાગરમાં જે વાવાઝોડા સર્જાય છે તેની દિશા ગુજરાત તરફ હોય છે.   

10/10
image

તેમણે એવું પણ  કહ્યું હતું કે જ્યારે કોઈ તોફાન છેલ્લા 24 કલાકમાં 55 કિમી સુધી વિક્સી જાય તો તે સુપર સાઈક્લોનનું સ્વરૂપ લઈ લે છે. બિપરજોય અને તોક્તેના મામલાઓમાં તેણે અચાનક સુપર સાઈક્લોનનું સ્વરૂપ લઈ લીધુ હતું.

ભારતમાં હવામાન સંબંધિત આફતોની જાણકારી પહેલેથી જ સટીકતાથી મળી જતી હોય છે. જેનાથી રાહત અને બચાવ ટીમો લોકોને યોગ્યસમયે બચાવી લે છે. ભારતમાં મૈનગ્રુવ્સને વધારવા જોઈએ. કારણ કે તે તોફાનો દરમિયાન આવનારા પૂર અને ઊંચી લહેરોથી રક્ષણ આપે છે.