Gujarat news News

Video: રાજુ કરપડાના રાજીનામા પર આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુના પ્રહાર, જાણો
Karsandas Bapu on Raju Karpada: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હાલના કોગ્રેસ નેતા કરસનદાસ બાપુ પ્રતિક્રિયા આપી છે, તેમને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ખેડૂતોની ચિંતા કરે છે તે આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે. વધુમાં તેમને જણાવ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવા માટે ઉભી કરેલી પાર્ટી હોવાનો પણ તેમને આરોપ લગાવ્યો છે. આપના અને ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ગરમાણુ છે, ત્યારે હવે આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુએ પણ પ્રહાર કર્યા છે. તેમને રાજીનામા પાછળ આપ પાર્ટી જવાબદાર હોવાનો આડકતરી રીતે આરોપ પણ લગાવ્યો. મહત્વનું છે કે પહેલા પણ આમ આદમી પાર્ટીમાંથી અનેક નેતાઓએ રાજીનામા આપી ચુક્યા છે.
Feb 11,2026, 15:07 PM IST
રાજુ કરપડાના રાજીનામા પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા, જાણો ભાજપ શું કર્યા પ્રહાર
Chaitar Vasava Video: આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પહેલી પ્રતિક્રિયા આપી છે, તેમને ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના દબાણથી રાજુ કરપડાએ રાજીનામુ આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં તેમને જણાવ્યું કે રાજુ કરપડા એક મજબુત ખેડૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમને ખેડૂતો માટે અનેક લડાઈ લડી છે, બોટાદ કડદા પ્રથા નાબુદ કરાવવા માટે તેમને હળદળમાં આંદોલન કર્યું હતું, જેના કારણે તેમને 100 દિવસથી વધારે જેલમાં રહેવું પડ્યું હતું, ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારની નીતિ રહી છે વિપક્ષી નેતાઓને ડરાવવાનું અને ધમકાવવાનું, દબાવીને કઈ રીતે તેમની તરફેણમાં લઈ લેવા એજ નીતિનો ઉપયોગ તેમને રાજુભાઈ પર કર્યો છે. આ મામલે હાલ ગુજરાતના અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
Feb 11,2026, 14:27 PM IST
જેનાથી જે થાય એ કરી લે, હર્ષ સંધવીની ચેલેન્જ, જે નથી પકડાયા એ સુધરી જાય, જુઓ Video
Feb 10,2026, 15:24 PM IST
સૌરાષ્ટ્રમાં ત્રીજી પાર્ટીના પગ પેસારા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જુઓ Video
Feb 10,2026, 13:11 PM IST
હર્ષ સંઘવીની બિલ્ડરોની હોમ ડિલિવરી કટ પ્રથા બંધ કરવાની તૈયારી, જુઓ Exclusive Video
Harsh Sanghvi On Cut: ઝી કલાક સાથેની ખાસ વાતચીતમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ખુલીને વાત કરી હતી. Z 24 કલાકના ‘સિટીઝ ઓફ ટુમોરો’ કાર્યક્રમમં હર્ષ સંઘવીએ મહત્વની વાત કરી હતી. અમદાવાદમાં હાઈવે પર કટ બંધ કરવાના મુદ્દે હર્ષ સંઘવીએ Z 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે કે ટ્રાફિકથી મુક્તિ મેળવવા કટ બંધ કરવો જરૂરી છે અને કટ બંધ નહીં થાય તો ટ્રાફિક હળવો થશે નહીં. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોને ટ્રાફિકથી રાહત પણ જોઈએ છે અને કટ પણ ખુલ્લા રાખવા છે તો આ બંને વસ્તું શક્ય નથી. એટલે કે, ગુજરાતના સૌથી મોટા શહેરના ટ્રાફિકને સારી રીતે ચલાવવા માટે કટ મૂકવા જરૂરી છે. પણ જે રીતે કટ મુકવામાં આવતા હતા તેના પર નિવેદન આપ્યું છે. જો કે હવે દરેક જગ્યાએ કટ મુકવામાં આવશે નહીં.
Feb 10,2026, 12:48 PM IST
ગુજરાતના આ શહેરમાં શરૂ કરાઈ ભારત ટેક્સી સેવા, 50000 વધારે ડ્રાઈવરો જોડાયા, જુઓ Video
Bharat Taxi Service: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને રાજકોટમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી, તેમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં સહકારિતા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. આ દિશાની એક ક્રાંતિકારી પહેલ એટલે 'ભારત ટેક્સી'. વધુમાં જણાવ્યું કે 'ભારત ટેક્સી' એ દેશની સૌપ્રથમ સહકારિતાના મોડલ પર સંચાલિત ટેક્સી સેવા છે. પ્રારંભિક તબક્કે આ સેવા ગુજરાતના અમદાવાદ અને રાજકોટ તેમજ દિલ્હીથી શરૂ થઈ છે, અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં શરૂ થશે. ઘણા આનંદની વાત છે કે, અત્યાર સુધીમાં ગુજરાતના 50,000થી વધુ ડ્રાઈવર્સ, એટલે કે, સારથી તો આ સેવા સાથે જોડાઈ પણ ચૂક્યા છે. સારથી અને ગ્રાહક બંને માટે આ સુવિધા win-win બનવાની છે. ગુજરાત તો સહકારિતા ક્ષેત્રની સફળતાનું રોલ મોડલ છે. આવનાર સમયમાં અનેક પરિવારો માટે આ સુવિધા રોજગારી અને સુખાકારીના નવા દ્વાર ખોલશે, અને સહકારિતા ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે.
Feb 6,2026, 23:17 PM IST
ખેડૂતો પર કુદરતનો માર, વાતાવરણમાં ફેરફારથી કેરીના પાકમાં આવ્યો રોગ !
Amreli Mango Crop: અમરેલીમાં વાતાવરણમાં થતા ફેરફારની વિપરીત અસર કેરીના મોર પર જોવા મળી રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત હોવાથી ફ્લાવરિંગ સમયે સમસ્યા આવી રહી છે. ઝાકળ અને ધુમ્મસ પણ કેરીના ફ્લાવરિંગને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેના કારણે કેરીના ફ્લાવરિંગમાં ભૂકી છારો અને મદ્યો નામના રોગ આવ્યા છે. આ વર્ષે કેરીમાં ફ્લાવરિંગ સારું થયું હતું, પરંતુ બાદમાં વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના સારા પાકની આશા રાખતા ખેડૂતોને હવે પાક ઓછો ઉતરશે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં કેરીના ભાવ વધારે રહે તો નવાઈની વાત નથી. જો કે ખેડૂતોને પાકમાં નુકસાનના કારણે ઉત્પાદનમાં મોટી અસર થશે.
Feb 5,2026, 21:46 PM IST

Trending news