IND vs NED: નેધરલેન્ડ સામેની ટીમમાં થશે આ મોટા ફેરફારો, બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને મળશે તક?

Team India: ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં પોતાનો અજેય રહેવાનો સિલસિલો યથાવત રાખતા 12 નવેમ્બરે બેંગલુરૂમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે જ્યારે નેધરલેન્ડ બહાર થઈ ગયું છે. ભારત જીતની સાથે દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપવા ઈચ્છશે તો નેધરલેન્ડ ટૂર્નામેન્ટમાં જીત સાથે વિદાય લેવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ઘણા ફેરફાર સાથે ઉતરી શકે છે. બેન્ચ પર બેઠેલા ઘણા ખેલાડીઓને અંતિમ 11માં તક આપવામાં આવી શકે છે.
 

અશ્વિન ઉતરી શકે છે મેદાનમાં

1/4
image

કેપ્ટન રોહિત શર્મા નેધરલેન્ડ સામે અંતિમ લીગ મેચમાં આર અશ્વિનને તક આપી શકે છે. અશ્વિને આ વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે.

પ્રસિદ્ધ કૃષ્ણાને મળી શકે છે તક

2/4
image

ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ મેચમાં રમવાની તક મળી શકે છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં પ્રસિદ્ધ કૃષ્મા રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થયો છે. તેવામાં તેને એક મેચ જરૂર રમવા મળી શકે છે. 

ઈશાન કિશનને મળશે તક

3/4
image

ઈશાન કિશનને પણ અંતિમ મેચમાં તક મળી શકે છે. ઈશાન કિશને ટૂર્નામેન્ટની શરૂઆતી બે મેચમાં રોહિત સાથે ઓપનિંગ કરી હતી. ત્યારબાદ ગિલ ફિટ થતાં કિશન બહાર થયો હતો.

શાર્દુલ ઠાકુર

4/4
image

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ટીમ માટે શરૂઆતી બે મેચ રમી ચુક્યો છે.