Shani jayanti 2023: 5 રાશિના લોકો માટે શુભ છે શનિ જયંતી, મળશે કાર્યમાં સફળતા અને અપાર ધન

Shani jayanti 2023: શનિદેવ ન્યાયના દેવતા છે અને શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. સત્કર્મ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પરંતુ જો શનિ નારાજ થાય છે તો જીવનના દરેક ક્ષેત્રમાં ઊથલપાથલ થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતિનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યેષ્ઠ માસની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ 19 મેના રોજ આવી રહી છે અને આ દિવસ 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.

વૃષભ 

1/5
image

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્ર અને શનિ અનુકૂળ ગ્રહો છે. એટલા માટે શનિ હંમેશા વૃષભ રાશિના લોકો પર કૃપાદ્રષ્ટિ રાખે છે. વૃષભ રાશિના લોકોને શનિ જયંતિ શુભ ફળ આપશે. આ લોકોને ધન, પદ, માન-સન્માન બધું જ મળશે. જીવનમાં ખુશીઓ આવશે.

તુલા

2/5
image

તુલા રાશિનો સ્વામી શુક્ર પણ છે અને આ રાશિમાં શનિ ઉચ્ચ સ્થાનમાં રહે છે. એટલા માટે તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી અને પશુને ભોજન કરાવવાથી શનિદેવની કૃપાથી તેમને અપાર સફળતા આપશે.

કર્ક

3/5
image

કર્ક રાશિના લોકો પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. તેમને માતા-પિતાનો સહયોગ મળશે. કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે. કરિયરમાં પ્રગતિ થશે. કોઈ મોટી સફળતા તમને પ્રસન્ન કરશે. નાણાંકીય લાભની પણ શક્યતાઓ છે.

કુંભ

4/5
image

શનિ કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે. કુંભ રાશિના લોકો માટે શનિ જયંતિ રાહત લાવનાર સાબિત થશે. આ સમયે તેમને ધન લાભ થશે. તમને મહેનત, પ્રેમ અને સન્માનનું ફળ મળશે.

મકર

5/5
image

મકર રાશિનો સ્વામી ગ્રહ પણ શનિ છે. આ રાશિના જાતકો પર પણ શનિદેવના આશીર્વાદ રહેશે. શનિના પ્રભાવથી મકર રાશિના લોકોમાં નેતૃત્વ ક્ષમતા સારી હોય છે. શનિ જયંતિ નોકરી-ધંધામાં પ્રગતિ કરાવશે. રાજકારણમાં સક્રિય લોકોને પણ ફાયદો થશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)