બસ 6 દિવસ... સાતમા દિવસથી આ 5 રાશિના જાતકોનુ ખુલી જશે ભાગ્ય, ધનના થશે ઢગલા અને કાર્યોમાં મળશે સફળતા

Shani Vakri 2023: શનિ ગ્રહને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કારણ કે શનિની સાડાસાતી, પનોતી જેવી સ્થિતિમાં વ્યક્તિને ભારે કષ્ટ ભોગવવા પડે છે. આ સિવાય શનિ સૌથી ધીમી ગતિએ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. શનિને રાશિ પરિવર્તનમાં અઢી વર્ષનો સમય લાગે છે.  વર્ષ 2023ની શરૂઆતમાં શનિ ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 17 જૂને શનિ આ રાશિમાં વક્રી થશે. વક્રી અવસ્થામાં શનિ 5 રાશિના લોકોને શુભ પરિણામ આપશે.  

વૃશ્ચિક રાશિ

1/5
image

આ રાશિના નોકરી કરતા લોકોને શનિદેવ લાભ આપશે. પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે. અચાનક નાણાકીય લાભ પણ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.

સિંહ રાશિ 

2/5
image

સિંહ રાશિ માટે આ સમય શુભ રહેશે. નવો વેપાર શરૂ કરી શકો છો. સારો નફો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે. કાર્યસ્થળ પર તમને લાભ મળી શકે છે.

કુંભ રાશિ

3/5
image

કુંભ રાશિના લોકો માટે પણ સારો સમય શરુ થશે. આ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે શુભ રહેવાનો છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ પ્રવાસ થઈ શકે છે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે.

તુલા રાશિ

4/5
image

આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. કોઈ જગ્યાએથી સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર પદમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં આ રાશિના લોકોને નવી તકો મળશે.  

મીન રાશિ

5/5
image

મીન રાશિના લોકો માટે શનિનું વક્રી થવું લાભદાયક રહેશે. આ સમય દરમિયાન ભૌતિક સુખની વસ્તુઓ મળી શકે છે. આર્થિક બાજુ મજબૂત રહેશે. માન-સન્માનમાં વધારો થશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)