શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરોમાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયને અપાઈ શ્રદ્ધાંજલિ, જુઓ Photos

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરોમાં યુકેના મહારાણી એલિઝાબેથ દ્વિતિયને રવિવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું આઠ સપ્ટેમ્બરે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે નિધન થયું. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના આજે પૂરા શાહી અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મંદિરના કાર પાર્કમાં મંદિરના ભક્તો, આસપાસના નિવાસીઓ તથા હેરોના કાઉન્સિલર્સે મહારાણી એલિઝાબેથ દ્વિતિયની પ્રતિમા પાસે પુષ્પ અર્પણ કરીને મુકી દિવા પ્રગટાવ્યા હતા. મંદિરના પ્રમુખ તેમજ બ્રેન્ટ હેરોના કાઉન્સિલર્સે પ્રવચન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિરના પાઇપર બેંડે રાષ્ટ્રગીત વગાડ્યું હતું. હાજર સર્વ લોકોએ સ્વામિનારાયણ ધુન કરી એક મિનિટ મૌન પણ પાળ્યું હતું. જુઓ તસવીરો....

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image