રાજસ્થાનનું તે મંદિર, જ્યાં 3 પ્રધાનમંત્રીઓએ ઝુકાવ્યું શીશ અને જતી રહી ખુરશી

Nathdwara Shrinathji Temple: પીએમ મોદી આજે રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર દેશભરમાં ખુબ જ પ્રખ્યાત છે. અહીં રાજનેતાઓથી લઈને અનેક સેલિબ્રિટીઓ અત્યાર સુધી દર્શન કરવા આવી ચુક્યા છે. પરંતુ આ મંદિર સાથે એક મિથક પણ જોડાયેલું છે. નરેન્દ્ર મોદી પહેલાં દેશના ત્રણ પ્રધાનમંત્રીઓ અત્યાર સુધી શ્રીનાથજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ મંદિરે દર્શન કર્યા બાદ ત્રણેય પ્રધાનમંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવી હતી. 

શ્રીનાથજીનું મંદિર

1/6
image

રાજસ્થાનના અરાવલીના ખોળામાં બનાસ નદીના કાંઠે નાથદ્વારામાં બાંધવામાં આવેલા શ્રીનાથજીનું મંદિર, વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ સાત -વર્ષના 'બાળક' અવતાર તરીકે ગાદીમાં છે.

ઘણા મોટા સેલિબ્રિટી આવ્યા

2/6
image

શ્રીનાથજીના મંદિરમાં અત્યાર સુધી દુનિયાભરના અનેક સેલિબ્રિટી દર્શન કરવા આવી ચુક્યા છે. અંબાણી પરિવારથી લઈને દેશના મોટા નેતા અને બોલીવુડના લોકો અહીં દર્શન કરવા આવે છે. 

 

 

શ્રીનાથજી સાથે જોડાયેલું મિથક

3/6
image

શ્રીનાથજી સાથે જોડાયેલું એક મિથક પણ છે, કહેવામાં આવે છે કે જ્યાં સુધી કોઈપણ પ્રધાનમંત્રીએ અહીં આવી ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા છે, તે બીજીવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા નથી.

 

 

ઈન્દિરા ગાંધી @ શ્રીનાથજી

4/6
image

કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીએ પણ ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા બદા અને થોડા દિવસ બાદ ઈમરજન્સી લાગી હતી. ત્યારબાદ તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. 

ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ

5/6
image

આ પ્રકારે ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવે પણ ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ બંને બીજીવાર પ્રધાનમંત્રી બની શક્યા નહીં. 

 

 

અંબાણી પરિવાર

6/6
image

અંબાણી પરિવારની શ્રીનાથજીમાં ખુબ ઉંડી શ્રદ્ધા છે, તેવામાં કોઈ મોટા પ્રોજેક્ટ પહેલાં અંબાણી પરિવાર અહીં પહોંચી જરૂર પૂજા-અર્ચના કરે છે.