Surya Gochar 2023: 15 તારીખથી ચમકી જશે આ રાશિના લોકોનું ભાગ્ય, થશે ધનના ઢગલા અને અટકેલા કાર્યો થશે પુરા

Surya Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓના લોકો પર જોવા મળે છે. તેવામાં ગ્રહોના રાજા સૂર્ય 15મી મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગણતરીના દિવસોમાં પોતાની રાશિ બદલશે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને જીવનમાં તમામ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવામાં સૂર્યના આ રાશિ પરિવર્તનથી પણ કેટલીક રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થવાનું છે.

વૃષભ

1/5
image

સૂર્યના રાશિ પરિવર્તનથી પરિવારમાં ખુશીઓ વધશે. કાર્યોમાં તમારા પરિવારના સભ્યો તમને સંપૂર્ણ સહકાર આપશે. માતા તરફથી કોઈ મોટો લાભ પ્રાપ્ત થશે. જીવનશૈલીમાં સુધરો થશે.

કર્ક

2/5
image

15 મેના રોજ સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. આવકમાં વધારો થઈ શકે છે.

સિંહ

3/5
image

સિંહ રાશિના જાતકોની નોકરીની શોધ પૂર્ણ થશે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કન્યા

4/5
image

સૂર્યદેવના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકોનું માન સન્માન વધશે. આ સમય દરમિયાન તમે તમારા ઘરમાં કોઈ હવન અથવા પૂજા રાખી શકો છો. સૂર્યના રાશિ પરિવર્તન દરમિયાન તમને તીર્થસ્થળોની યાત્રા કરી શકો છો.

ધન   

5/5
image

સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના જાતકોને અટકેલા પૈસા પરત અપાવી શકે છે. તમે આ સમયગાળા દરમિયાન બેંકમાંથી લીધેલી લોનની ચુકવણી પણ કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સાનુકૂળ પરિણામ મળશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)