ધનના દાતા શુક્ર કરશે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Shukra in Ashlesha Nakshatra: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. 

શુક્ર નક્ષત્ર પરિવર્તન

1/5
image

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, એશ્વર્ય, ભૌતિક સુખ અને યશનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ શુક્ર ગ્રહની ચાલમાં ફેરફાર આવે છે તો તેનો પ્રભાવ દરેક સેક્ટરો પર પડે છે. તમને જણાવી દઈએ કે 20 જુલાઈએ શુક્ર ગ્રહ પુષ્ય નક્ષત્રમાંથી નિકળી આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ...

કન્યા રાશિ

2/5
image

તમારા લોકો માટે શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્ય પૂરા થશે અને તમારૂ મન પ્રસન્ન રહેશે. સાથે આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પારિવારિક અને લગ્ન જીવન સુખમય રહેશે. 

ધન રાશિ

3/5
image

શુક્રનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા ભૌતિક સુખમાં વધારો થશે. તમે કોઈ જમીન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે આ સમયે તમને કામ-ધંધામાં જોરદાર સફળતા મળશે અને તમારી આવકમાં પણ વધારો થશે. આ સમયે તમે કામ-કારોબાર સંબંધિત યાત્રા કરી શકો છો. તમારા અટવાયેલા કામ પણ થવા લાગશે અને પરિવારના કોઈ સભ્યથી શુભ સમાચાર મળશે. આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.   

કુંભ રાશિ

4/5
image

શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારા લોકોની આવક અને સન્માનમાં વધારો જોવા મળશે. નોકરી તથા કારોબારમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. આ સમયે તમે નાણાની બચત કરવામાં પણ સફળ થશો. આ દરમિયાન તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે. જેનાથી લોકો પ્રભાવિત થશે. આ સમયે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધ સારા રહેશે અને બાળકોની પ્રગતિને લઈને મન પ્રસન્ન થશે. આ સમયમાં તમને સંતાન સાથે જોડાયેલા શુભ સમાચાર પ્રાપ્ત થશે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.