જેસિકા લાલ મર્ડર કેસ News

જેસિકા લાલ હત્યાકાંડ: 19 વર્ષ બાદ તિહાડ જેલમાંથી મુક્ત થશે દોષીત મનુ શર્મા
જેસિકા લાલ હત્યાકાંડના મુખ્ય આરોપી રહેલા મનુ શર્મા ઉર્ફે સિદ્ધાર્થ વશિષ્ઠની સજા દિલ્હીનાં LG એ માફ કરી દીદી છે. મનુ શર્મા પર વર્ષ 1999માં મોડલ જેસિકાની હત્યા કરવાનો આરોપ હતો. મનુ શર્મા સહિત 19 દોષીતોની સજા માફ કરવા માટેની ભલામણ SRB એટલે કે Sentence Review Board દ્વારા કરવામાં આવી હતી. જેમાં મનુ શર્માની સારી ચાલ ચલગતને આધાર બનાવીને તેને મુક્ત કરવામાં આવ્યો છે. SRBની 11 મેના રોજ યોજાઇ હતી. જેમાં દિલ્હી જેલનાં અધિકારીઓ સહિત પોલીસ અને દિલ્હી સરકારનાં લોકો પણ હાજર હતા. તેમાં જ મનુ શર્મા સહિત 19 લોકોની સજા માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 28 મેના રોજ મનુ શર્માને છોડી મુકવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો અને 1 જૂને મનુ શર્માને દિલ્હીની તિહાડ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો.
Jun 2,2020, 17:12 PM IST

Trending news