સ્ટીમ બાથ News

કોરોનાને દૂર કરવા અમદાવાદમાં તૈયાર કરાયું આર્યુવેદિક સ્ટીમ બાથ
કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આવામાં અનેક ભારતીયો યોગ, આર્યુવેદ જેવા ઉપચારોનો સહારો લઈ રહ્યાં છે. જેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ વિકસે અને કોરોનાને દૂર પણ રાખી શકાય. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહીશોએ અનોખો ઉપાય શરૂ કર્યો છે. એપાર્ટમેન્ટના રહીશોએ ઉટવા ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલની સાથે મળીને એક સ્ટીમ બાથ શરૂ કર્યું છે, જેમાં ઘરના રસોડામાં વપરાતી 17 ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી અનોખું મશીન તૈયાર કરાયું છે. અત્યાર સુધી 1000 જેટલા લોકોએ આ સ્ટીમ બાથનો લાભ લીધો છે. સાથે જ સ્ટીમ બાથ લીધા પછી તેજ સામગ્રીનો ઉકાળો પીવા માટે પણ આપવામાં આવે છે. 
Aug 1,2020, 16:28 PM IST

Trending news