Centres corona guideline News

વાયબ્રન્ટ ગુજરાત પર કોરોનાની તોળાતી તલવાર, કેન્દ્રની ગાઇડલાઇન જાહેર થયા બાદ લેવાશે ફ
ગુજરાત સહિત વિશ્વના અનેક દેશોમાં આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઇડલાઇન બાદ જ નિર્ણય લેવાઇ શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઇથી સમિટનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં આગામી 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી છે. જો કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં ફરી નવા પ્રતિબંધો લાગુ પડે તેવી શક્યતા છે. જેના કારણે હાલ સમગ્ર મામલો ગુંચવાયેલો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ઓમિક્રોનનો ભારે ખતરો છે. જેના કારણે મહેમાનો પણ આવે તેની શક્યતાઓ ઓછી હોવા ઉપરાંત આ મહેમાન આવે તો પણ ઓમિક્રોન વેરિયન્ટની શક્યતાને જોતા સરકાર પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે. 
Dec 17,2021, 23:32 PM IST

Trending news