અનામત વર્ગના રાજકીય અગ્રણીઓ સાથે સરકાર કરશે બેઠક

અનામત વર્ગના રાજકીય અગ્રણીઓ સરકાર સાથે કરશે બેઠક. શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના આગેવાનો મુખ્યમંત્રીને મળે તેવી શક્યતા છે. અનામતને લાગતા મુદ્દાઓ અંગે સરકાર સાથે કરશે ચર્ચા. 69 દિવસના આંદોલનમાં પ્રથમ વાર અનામત વર્ગ સાથે થશે બેઠક. અલ્પેશ ઠાકોરે વિવાદિત પરિપત્ર રદ કરવા આપી છે ચીમકી. અલ્પેશ ઠાકોરે કાલે ગાંધી આશ્રમથી ગાંધીનગર કુચ કરવા કર્યું છે એલાન. કુચ કરે એ પહેલાં સરકાર સાથે મંત્રણામાં જોડાશે.

Trending news