સુરેન્દ્રનગરની રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત

સુરેન્દ્રનગરની પ્રખ્યાત એવી જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાન (Rajasthan) માં અકસ્માત (Accident) નડ્યો છે. ગુજરાતથી બિહાર જઈ રહેલી ઓરકેસ્ટ્રા દાંડિયાની ટીમની બસ આદર્શ નગર પાલરાની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં મોતનો આંકડો વધવાની આશંકા છે.

Trending news