કર્ણાટક: કોંગ્રેસ ભીંસમાં, કુમારસ્વામીએ CM પદ છોડવાની ધમકી આપી

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારના ફરી એકવાર કોંગ્રેસ પર રોષ વ્યક્ત કર્યો છે. મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ, જો તેઓ આ પ્રકારની વાતો ચાલુ રાખે છે, તો તો હું મુખ્યમંત્રી પદથી હટવા માટે તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દાઓ પર નજર રાખવી જોઇએ. હું તેના માટે જવાબદાર વ્યક્તિ નથી.

Trending news