સાબરકાંઠાના વેપારીઓમાં આક્રોશ, માર્કેટયાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાળ

સાબરકાંઠાના વડાલી માર્કેટયાર્ડમાં વેપારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વેપારીઓએ માર્કેટયાર્ડ સિવાયના વેપારીઓને લાયસન્સ આપતા વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ માર્કેટયાર્ડમાં ભાડુ ઓછું કરવાની માગણી કરી છે. માર્કેટયાર્ડમાં દરરોજ 20થી 25 લાખ રૂપિયાની ખરીદી થાય છે. માર્કેટયાર્ડને દરરોજ 20થી 25 હજારની આવક થાય છે. માર્કેટયાર્ડના બોર્ડે નિયમ મુજબ ખરીદી કરનાર 161 વેપારીઓને લાઇસન્સ આપ્યા છે.

Trending news