અકસ્માત કે આત્મહત્યા? મલાઈકા અરોરાના પિતાના મોત પર મુંબઈ પોલીસનું પહેલું નિવેદન સામે આવ્યું, કર્યો મોટો ખુલાસો

તાજેતરમાં મલાઈકા અરોરા વિશે આવા સમાચાર આવ્યા, જેણે બધાને હચમચાવી દીધા. અભિનેત્રીના પિતા અનિલ મહેતાએ આજે ​​સવારે બાંદ્રામાં પોતાના ફ્લેટની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મલાઈકાના પિતાના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડ શોકમાં છે.

અકસ્માત કે આત્મહત્યા? મલાઈકા અરોરાના પિતાના મોત પર મુંબઈ પોલીસનું પહેલું નિવેદન સામે આવ્યું, કર્યો મોટો ખુલાસો

મુંબઈઃ મલાઇકા અરોડા અને અમૃતા અરોડાના પિતાનું આજે નિધન થયું. અભિનેત્રીના પિતાનું આજે સવારે નિધન થયું છે. આ સમાચારે ઈન્ડસ્ટ્રીમાં બધાને ચોકાવી દીધા છે. અનિલ મેહતાના નિધનના સમાચાર મળતા કરીના કપૂર, સૈફ અલી ખાનથી લઈને અરબાઝ ખાન, અર્જુન કપૂર સહિત ઘણા સિતારા મલાઇકાના ઘરે પહોંચ્યા હતા. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી મુંબઈ પોલીસનું પણ હવે પ્રથમ નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસ અનુસાર મલાઇકાના પિતા અનિલ મેહતાનું મોત પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગી રહ્યું છે. પરંતુ પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

અનિલ મેહતાના મોત પર મુંબઈ પોલીસનું નિવેદન
ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ, રાજ તિલક રોશને એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, અનિલ મેહતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ત્યારબાદ મોતનું અસલી કારણ જણાવી શકાશે. આ સાથે તેમણે કહ્યું કે પોલીસ અને ફોરેન્સિક ટીમ હજુ તપાસ કરી રહી છે. 

— ANI (@ANI) September 11, 2024

— ANI (@ANI) September 11, 2024

શું બોલ્યા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ, રાજ તિલક રોશન?
DCP ક્રાઈમ બ્રાન્ચ રાજ તિલક રોશને કહ્યું- 'અનિલ મહેતા (62)નો મૃતદેહ આજે મળ્યો હતો. તે છઠ્ઠા માળે રહેતા હતા. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ અને અમારી ટીમ અહીં છે. અમે તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. અમારી ટીમો અહીં છે, ફોરેન્સિક ટીમો પણ અહીં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. અમે દરેક પાસાની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

અભિનેત્રી પર તૂટી પડ્યો દુખનો પહાડ
મહત્વનું છે કે આજે સવારે 9 કલાકે મલાઇકા અરોડાના પિતા અનિલ મેહતાના નિધનના સમાચાર સામે આવ્યા હતા. અભિનેત્રીના પિતાએ મુંબઈના બાંદ્રામાં સ્થિત ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. ઘટના બાદ મુંબઈ પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે મલાઇકાના પિતાનું નિધન થયું ત્યારે તે મુંબઈમાં નહોતી. અભિનેત્રીને સૂચના મળતા તે પુણેથી મુંબઈ પહોંચી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news