Rajinikanth ની તબિયત બગડી, 'Annaatthe'ના સેટ પર મળ્યા હતા 8 કોરોના પોઝિટિવ

અભિનેતા રજનીકાંત (Rajinikanth)ની તબિયત અચાનક બગડી ગઇ છે. તેમણે હૈદ્રાબાદના એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

Rajinikanth ની તબિયત બગડી, 'Annaatthe'ના સેટ પર મળ્યા હતા 8 કોરોના પોઝિટિવ

હૈદ્વાબાદ: અભિનેતા રજનીકાંત (Rajinikanth)ની તબિયત અચાનક બગડી ગઇ છે. તેમણે હૈદ્રાબાદના એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે રજનીકાંત (Rajinikanth)ને બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવની ફરિયાદ બાદ તેમને ભરતી કરાવવામાં આવ્યા છે. 

હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમના બ્લડ પ્રેશરમાં ગંભીર ઉતાર ચઢાવ અને આગળના મૂલ્યાંકનની આવશ્યકતા હતી, જેના લીધે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી રહી છે. જોકે તેમને રજા આપવામાં આવી નથી.એવામાં  તેમની સારવાર ચાલુ છે. 

તમને જણાવી દઇએ કે રજનીકાંત (Rajinikanth) પોતાની આગામી ફિલ્મ 'અન્નાત્થે'  (Annaatthe)નું શૂટિંગ માટે હૈદ્રાબાદમાં છે. આ ઉપરાંત તે રાજકીય પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે, જેની જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. 

જોકે તાજેતરમાં જ રજનીકાંત (Rajinikanth)ની ફિલ્મ 'અન્નાથે' (Annaatthe)ના શૂટિંગ દરમિયાન ક્રૂના 8 સભ્ય કોરોના પોઝિટિવ (Coronavirus Positive) આવ્યા હતા. ત્યારબાદ રજનીકાંતે પોતાને કોરોન્ટાઇન કરવાની વાત પણ સામે આવી હતી. હાલ તેમની ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news