મહંત જયરામદાસ બાપુ કેસમાં રાજકોટ પોલીસના હાથ લાગ્યો વીડિયો, જેમાં દેખાઈ 2 મહિલાઓ

મહંત જયરામદાસ બાપુ કેસમાં રાજકોટ પોલીસના હાથ લાગ્યો વીડિયો, જેમાં દેખાઈ 2 મહિલાઓ
  • કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું
  • આરોપીઓ મહિલા સાથેનો વીડિયો બતાવીને મહંતને બ્લેક મેઇલિંગ કરતા હતા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસનો મામલામાં કથિત વીડિયો પોલીસને હાથ લાગ્યો છે. મહંતના મૃત્યુમાં આ વીડિયો કારણભૂત છે, જેને બતાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા. વીડિયોમાં રાત્રિના સમયે મહંત સાથે બે મહિલાઓ જોવા મળી રહી છે. કુલ 6 વીડીયો પૈકી એક વીડિયો બહાર આવ્યો છે. જે પોલીસ માટે મહત્વનો પુરાવો બની શકે છે. 

આ વીડિયોના આધારે આરોપીઓએ 21 લાખ પડાવ્યા 
આ વીડિયોના આધારે મહંત જયરામદાસ બાપુને બ્લેકમેલ કરવામાં આવતા હતા. બ્લેકમેઇલિંગ કરી આરોપી વિક્રમ ભરવાડ સહિતના શખ્સોએ 21 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કથિત વિડીયોને કારણે મહંતને બ્લેકમેઇલિંગ કરવામાં આવતું હોવાથી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ પોલીસે SIT ની રચના કરી ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. 

કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મહંત પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.

આ મામલે ડીસીપી ઝોન 1 ના પ્રવીણકુમાર મીણાએ માહિતી આપી કે, મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસમાં 4 ટીમ તપાસ કરવા બનાવાઈ હતી. એફ.એસ.એલ દ્વારા ગાદલામાંથી ઝેરી દવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં 30 તારીખે વિક્રમ ભરવાડ આશ્રમમાં હાજર હોવાનું જણાયું હતું. આરોપી વિક્રમ ભરવાડના હાથમાં લાકડાનો દંડો જોવા મળ્યો છે. આરોપી વિક્રમની સાથે અન્ય લોકો પણ હાજર હતા. 

ડીસીપીએ જણાવ્યું કે, મહંત આત્મહત્યાકેસમાં ટ્રસ્ટીઓની પણ ભૂમિકા ખુલી શકે છે. મહંતે આપઘાત કર્યો હોવાની જાણ હોવા છતાં પોલીસને જાણ ન કરી. 20 થી 21 લાખ રૂપિયા મહંત પાસેથી આરોપીઓએ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 30 તારીખે રાત્રે 9 વાગ્યા પછી માત્ર મહંત સહિત ત્રણ વ્યક્તિઓ જ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, મહંત જયરામદાસ બાપુએ 31 તારીખે ગૌ શાળામાં દવા પીને આત્મહત્યા કરી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મૃત હોવાનું સામે આવ્યું હતું. મહંતને 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. આ આરોપીઓ મહિલા સાથેનો વીડિયો બતાવીને મહંતને બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જોકે, પહેલા પોલીસને આ અંગે જાણ કરી નહોતી. આરોપીઓ દોઢ વર્ષથી બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો હોવાથી આરોપીઓ બાપુને બ્લેકમેઇલિંગ કરતા હતા. ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા કબ્જે કરી તપાસ શરૂ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news