આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો, ઘરેલૂ ઉડાનો યથાવત

આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને ડીજીસીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગૂ થશે નહીં. 

આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો, ઘરેલૂ ઉડાનો યથાવત

નવી દિલ્હીઃ Ban on international passenger: ભારતીય નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ જનરલે ભારતથી આવતી-જતી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. પ્રતિબંધ પહેલા ઓગસ્ટના અંગ સુધી હતો. રવિવારે એક પરિપત્રમાં નાગરિક ઉડ્ડયન નિયામકે કહ્યુ- સક્ષમ સત્તાધિકારીએ અનુસૂચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર સેવાઓના સંદર્ભમાં ઉપરોક્ત વિષય પર જારી કરાયેલા પરિપત્રની માન્યતા 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને ડીજીસીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગૂ થશે નહીં. પરંતુ રેગ્યુલેટર દ્વારા કેસ-ટુ-કેસ ધોરણે પસંદ કરાયેલા માર્ગો પર આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપી શકાય છે.

કોરોના મહામારીને કારણે પાછલા વર્ષે માર્ચમાં ભારતમાં શિડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે ઘરેલૂ ઉડાનો મે 2020થી ફરી શરૂ થઈ અને ધીમે-ધીમે તેમાં વધારો કરવામાં આવ્યો હતો. તો પ્રતિબંધના સતત વિસ્તારને કારણે આંતરરાષ્ટ્રીય યાત્રા સસ્પેન્ડ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news