સંબંધોને સાચવતા શ્રી કૃષ્ણ પાસેથી શીખો, જીવનના દરેક સંબંધને સાચવી જાણ્યા

ભગવાન શ્રીકૃષ્ણ પાસે હજારો સખા એટલે કે મિત્રો હતા. શ્રી કૃષ્ણના સખા સુદામા, શ્રીદામા, મધુમંગળા, સુબહુ, સુબલ, ભદ્ર, સુભદ્ર, મણિભદ્ર, ભોજા, ટોકકૃષ્ણ, વરુથપ, મધુકંદ, વિશાલ, રસલ, મકરંદ, સદાનંદ, ચંદ્રહસ, બકુલ, શારદ, બુધિપ્રકાશ, અર્જુન વગેરે.

સંબંધોને સાચવતા શ્રી કૃષ્ણ પાસેથી શીખો, જીવનના દરેક સંબંધને સાચવી જાણ્યા

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં આપેલા ઉપદેશોને આજે વિશ્વ સલામ કરે છે, ગીતામાં કહેવાયેલી વાતો તમામ સમસ્યાનું સમાધાન છે, એવું કહેવાયું છે કે ગીતામાં એવો કોઈ ઉપદેશ નથી જે આજના સાંપ્રત પ્રવાહમાં લાગુ પડતો ન હોય, ભગવાન શ્રી કૃષ્ણનો મેનેજમેન્ટ ગુરુ પણ કહેવામાં આવે છે. કૃષ્ણ પાસેથી ઘણું બધુ શિખવા જેવું છે, જેમણે જીવનના દરેક સંબંધને સાચવી જાણ્યો છે. ભગવાને મિત્રતા, પ્રેમ, પતિ, પુત્ર દરેક સંબંધને જીવની જેમ જાળવી રાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જીવનમાં ઘણું શીખવા મળે છે. તેમના દ્વારા અપાયેલો ગીતા જ્ઞાન આજે પણ જીવનમાં ઉતારવા જેવું છે. માત્ર ગીતાનું જ્ઞાન જ નહીં પણ ભગાવન શ્રી કૃષ્ણનું જીવન એક ઉપદેશ છે. જે જીવન કેવી રીતે જીવવું તે શીખવી જાય છે. ખાસ આજે આપણે વાત કરીશું સંબંધોની. 

મિત્રતાનો સબંધ:-
ભગવાન શ્રીકૃષ્ણ પાસે હજારો સખા એટલે કે મિત્રો હતા. શ્રી કૃષ્ણના સખા સુદામા, શ્રીદામા, મધુમંગળા, સુબહુ, સુબલ, ભદ્ર, સુભદ્ર, મણિભદ્ર, ભોજા, ટોકકૃષ્ણ, વરુથપ, મધુકંદ, વિશાલ, રસલ, મકરંદ, સદાનંદ, ચંદ્રહસ, બકુલ, શારદ, બુધિપ્રકાશ, અર્જુન વગેરે. શ્રીકૃષ્ણની હજારો સખીઓ પણ હતી. રાધા, લલિતા વગેરે સહિત 8 ખાસ સખીયો પણ હતી.

બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ સખીઓના નામની વાત કરીએ તો, ચંદ્રાવલી, શ્યામા, શૈવ, પદ, રાધા, લલિતા, વિશાખા અને ભદ્ર. તો કેટલીક જગ્યાએ આ નામો ચિત્રા, સુદેવી, લલિતા, વિશાખા, ચંપકલાતા, તુંગાવિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી અને સુદેવી. લલિતા, વિશાખા, ચંપકલાતા, ચિત્રદેવી, તુંગાવિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી અને કૃતિમા કેટલાક સ્થળોએ કેટલાક નામોમાં તફાવત છે. આ સિવાય ભૌમાસુરથી મુક્ત થયેલી તમામ મહિલાઓ કૃષ્ણની પત્ની હતી. દ્રૌપદી શ્રી કૃષ્ણના મિત્ર  હતી. શ્રી કૃષ્ણએ અંત સુધી દરેક સાથે મૈત્રી સંબંધ જાળવી રાખ્યો.

પ્રેમી કૃષ્ણ:-
એવી ઘણી ગોપીઓ અને સખીઓ હતી જે કૃષ્ણને પ્રેમ કરતી હતી. કૃષ્ણભક્ત કવિઓએ તેમની કવિતામાં ગોપી-કૃષ્ણની રાસલીલાને મહત્ત્વ આપ્યું છે. પુરાણોમાં, ગોપી-કૃષ્ણના પ્રેમ સંબંધને આધ્યાત્મિક અને ખૂબ વૈશ્વિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક રૂપ મહાભારતમાં જોવા મળ્યું નથી, પરંતુ પુરાણોમાં જોવા મળે છે. તેની સખી રાધા, રૂક્મિણી અને લલિતાની વધુ ચર્ચા થાય છે.

પતિ કૃષ્ણ:-
ભગવાન શ્રીકૃષ્ણની 8 પત્નીઓ હતી રૂક્મિણી, જાંબાવંતી, સત્યભામા, મિત્રવંદ, સત્યા, લક્ષ્મણા અને કાલિંદી. આ આઠેય પટરાણીઓથી શ્રી કૃષ્ણને લગભગ 80 પુત્રો હતા.

ભાઈ કૃષ્ણ:-
કૃષ્ણને 3 બહેનો હતી એકનંગા, સુભદ્રા અને દ્રૌપદી. તો નેમિનાથ, બલરામ અને ગાદ કૃષ્ણના ભાઈઓ હતા.

શ્રી કૃષ્ણના માતા-પિતા:-
શ્રી કૃષ્ણના જન્મ દાતા માતા-પિતા વસુદેવ અને દેવકી હતા, પરંતુ તેમના પાલક માતા-પિતા નંદબાબા અને માતા યશોદા હતા. શ્રીકૃષ્ણને તેની સાવકી માતા રોહિણી વગેરે સાથે પણ સારા સંબંધો હતા.

શ્રીકૃષ્ણ અન્ય સંબંધો:-
શ્રીકૃષ્ણને તેમની ફોઈઓ સાથે પણ ખુબ સારા સંબંધો હતા,  કુંતી અને સુતસુભા સાથે પણ સારી રીતે સંબધ નિભાવ્યો હતો. તેમણે કુંતીને વચન આપ્યું હતું કે હું તમારા પુત્રોની રક્ષા કરીશ અને સુતસુભાને વચન આપ્યું હતું કે હું તમારા પુત્ર શિશુપાલના 100 ગુનાઓ માફ કરીશ. એ જ રીતે, સુભદ્રાના લગ્ન કુંતીના પુત્ર અર્જુન સાથે કર્યાં હતાં. તે જ રીતે શ્રી કૃષ્ણએ તેમના પુત્ર સંબના લગ્ન દુર્યોધનની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

દુશ્મનાવટનો સંબંધ:-
સંબંધોની માફ્ક  દુશ્મની પણ સારી રીતે નિભાવી હતી.  તેમણે કંસ, જરાસંધ, શિશુપાલ, ભીમાસુર, કાલયવન,  વગેરે તમામ દુશ્મનોને સુધારવાની ઘણી તક આપી અને આખરે તેમનો વધ કર્યો હતો.

રક્ષક કૃષ્ણ:-
ભગવાન શ્રીકૃષ્ણએ કિશોરવયમાં ચાણુર અને મુશ્તિક જેવા ખતરનાક મલ્લોનો વધ કર્યો હતો. જ્યારે ઇન્દ્રએ  ક્રોધાવશ થઇને  વૃંદાવન અને વ્રજ વિસ્તારમાં મહાપ્રલય કર્યો હતો ત્યારે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ઊંચકી લઇ ગ્રામ વાસીઓની રક્ષા કરી હતી. દ્રૌપદીના ચીર પણ પૂર્યા હતા.

શિષ્ય કૃષ્ણ:-
ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સંદિપની હતા. તેમનો આશ્રમ અવંતિકા જે ઉજ્જૈનમાં આવેલો છે. કહેવાય છે કે તેમણે જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથજી પાસેથી પણ જ્ઞાન લીધું હતું. શ્રી કૃષ્ણએ ગુરુ દક્ષિણામાં યમરાજ પાસેથી સંદિપનીના મૃત પુત્રને પાછા લાવી આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news